Russiaમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે થયા આટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-15 10:22:05

આગ લાગવાને કારણે અનેક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે આવી મોટી દુર્ઘટના રશિયામાં સર્જાઈ છે. દાગેસ્તાની ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. આ આગ એટલી ભયંકર હતી કે 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. 

big-tragedy-in-russia-explosion-in-gas-station-kills-12-injures-more-than-60-179466

ગાડી રિપેરિંગની દુકાનમાં લાગેલ આગ બની દુર્ઘટનાનું કારણ!

મંગળવાર રાત્રે રશિયાના મખાચકલા શહેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 25 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વાત કરીએ તો મળતી માહિતી અનુસાર આ આગ હાઈવે નજીક આવેલા એક ગાડી રિપેરિંગની દુકાનમાં લાગી હતી. દુકાનમાં લાગેલી આગ એકાએક એટલી પ્રસરી ગઈ કે નાની દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અનેક કલાકોની મહામેહનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. મહત્વનું છે કે આગમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થઈ શકે છે. મોટી સંખ્યામાં બાળકો આ ઘટનામાં ઈજાગસ્ત થયા છે.  



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?