મધ્યપ્રદેશમાં બની મોટી દુર્ઘટના! ખરગોનમાં 50 ફૂટ ઊંચા પુલની રેલિંગ તૂટતાં બસ નદીમાં પડી! અકસ્માતમાં થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-05-09 11:58:21

મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત બન્યો છે. પુલ પરથી નીચે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બસ ઓવરલોડેડ હતી જેને કારણે અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે મુસાફરોને લઈ જતી બસ પુલ પરથી નીચે ખાબકી છે જેને કારણે 15 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને વહીવટીતંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી અનુસાર બસ પરથી કાબુ ગુમાવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં પાણી ન હોવાને કારણે મોટા ભાગના મુસાફરોને ઈજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે.

  

નદી પરથી નીચે બસ પડી જતાં સર્જાઈ દુર્ઘટના!

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે મધ્યપ્રદેશના ખરગોનમાં અકસ્માત સર્જાયો છે જેમાં 15 જેટલા લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડોંગરગાંવ અને દસંગા વચ્ચે બોરાડ નદીના પુલની રેલિંગ તોડીને બસ નીચે પડી ગઈ હતી. પરંતુ નદી સૂકી હતી એમાં પાણી ન હતું. પાણી ન હોવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બસ ઝડપથી ચાલી રહી હતી અને તે સમયે બસ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ છે.  


સારવાર માટે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા!

જે બસને અકસ્માત નડ્યો છે તે ખરગોનના બેજાપુરથી બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ત્યાં આવી ચઢ્યા હતા. બચાવ કામગીરી પણ તરત શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.