મધ્યપ્રદેશના ખંડવામાં બની મોટી દુર્ઘટના, મશાલ યાત્રા દરમિયાન લાગી આગ અને અનેક લોકો દાઝ્યા....


  • Published By :
  • Published Date : 2024-11-29 12:34:29

મધ્યપ્રદેશના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... મશાલ યાત્રાના સમાપન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે... આ દુર્ઘટના ગુરૂવારે મોડી રાત્રે બની હતી... મળતી માહિતી અનુસાર મશાલ રેલીના સમાપન દરમિયાન અનેક મશાલો ઉંઘી પડી ગઈ હતી જેને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે.. જેને કારણે લોકોમાં નાશભાગ મચી હતી..અનેક લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો...


આ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવી હતી મશાલ યાત્રા

ખંડવામાં રાષ્ટ્રભક્ત વીર યુવા મંચ દ્વારા આતંકવાદ સામે યુવા જનમત માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરૂવાર સાંજે ખંડવાના બારામાર ચોકમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું... આ કાર્યક્રમમાં સામેલ થવા હૈદરાબાદના ભાજપના ધારાસભ્ય ટી રાજા તેમજપશ્ચિમ બંગાળના ભાજપના પ્રવક્તા અને નાઝિયા ખાન પણ આવ્યા હતા.. આ કાર્યક્રમ દરમિયાન 26-11ના આતંકવાદી હુમલાના શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. 



કેવી રીતે બની દુર્ઘટના?

મશાલ યાત્રા મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.. ખંડવાના બડાબમ ચોકથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો.. રેલી ઘંટાઘર ચોક પર પુરી થઈ અને તે વખતે આ મોટી દુર્ઘટના સર્જાઈ જ્યારે મશાલને મૂકવાનું આવ્યું... મૂકતી વખતે કેટલીક મશાલો ઉંઘી પડી ગઈ જેને કારણે આગ ફાટી નીકળી.. એવી માહિતી સામે આવી છે કે મશાલમાં કપૂર તેમજ લાડકાનો ભુક્કો હતો જેને કારણે આગ વધારે ફાટી નીકળી.. આ દુર્ઘટનામાં 50 જેટલા લોકો દાઝ્યા છે... એવી પણ માહિતી સામે આવી છે કે આ મશાલ યાત્રામાં એક હજાર મશાલો હતો પરંતુ તેમાંથી 200 જેટલી મશાલો પ્રગટાવામાં આવી હતી... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે