દિલ્હી લીકર કૌભાંડમાં થયો મોટો ખુલાસો! ચાર્જશીટમાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ! જાણો રાઘવ ચઢ્ઢાએ શું આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-05-02 15:21:44

દિલ્હીના કથિત લિકર પોલીસી કૌભાંડ સૌથી ચર્ચિત વિષય છે. આ મામલે આપણે સૌ જાણીએ છીએ. પણ આ મામલે નવી અપડેટ આવી છે. અપડેટ એવી કંઈક છે કે દારુ કાંડમાં વધુ એક નેતાનું નામ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાનું પણ નામ સામે આવ્યું છે. પોલીસે બીજી ચાર્જશીટ દાખલ કરી છે તેમાં નામ હોવાનું સામે આવ્યું છે.

    

ચાર્જશીટમાં આવ્યું રાઘવ ચઢ્ઢાનું નામ!

દિલ્લી સરકારની કથિત લિકર પોલીસી કાંડમાં ઈડીએ બીજી સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. આ ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું પણ નામ આવ્યું છે.. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લેવાનું ષડયંત્ર આચર્યું છે. રૂપિયાની કથિત લેવડદેવડ થઈ હોવાની વાત આ ચાર્જશીટમાં કરવામાં આવી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 


મીટિંગમાં આટલા લોકો હતા હાજર! 

રાઘવ ચઢ્ઢાનું નામ ચાર્જશીટમાં આવતાની સાથે જ હોબાળો મચી ગયો છે.. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાના ઘરે બેઠક થઈ તેમાં રાઘવ ચઢ્ઢા પણ સામેલ હતા.. મનીષ સિસોદિયાના પીએ સી અરવિંદે પોતાના નિવેદનમાં રાઘવ ચઢ્ઢાનું નામ લીધું છે. નિવેદનમાં તેમણે કહ્યું છે કે મીટિંગમાં રાઘવ ચઢ્ઢા, પંજાબના એક્સાઈઝ કમિશનર, એક્સાઈઝ ઓફિસર અને વિજય નાયર પણ સામેલ હતા.

 

રાઘવ ચઢ્ઢાએ આપી પ્રતિક્રિયા!

ઈડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કવિતા, સરથ ચંદ્ર રેડ્ડી, અરુણ પિલ્લાઈ અને સમીર મહેંદ્રુ સાથે દિલ્લીની લિકર પોલીસી પર બેઠક કરી હતી. આ બધા લોકોની પર્સનલ ડીટેઈલ વગેરે ચાર્જશીટની અંદર છે જે ખૂબ ગુંચવણ ભરી છે એટલે આપણે તે સ્કીપ કરીએ છીએ પણ ખાલી મુદ્દો સમજવા વાત કરીએ તો વિવિધ લોકો સાથે લિકર પોલીસી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અને કઈ રીતે તોડ કરવામાં આવશે તેનો તખતો રચાયો હતો. ત્યારે આ મામલે રાઘવ ચઢ્ઢાએ પ્રતિક્રિયા આપી છે. 


રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કરાશે કાર્યવાહી!

આખો મુદ્દો સમજીએ તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા ઓલરેડી લિકર પોલીસી કૌભાંડમાં જેલના સળિયા પાછળ છે... હવે રાઘવ ચઢ્ઢાનું નામ સામે આવ્યું છે... પહેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું હતું કે મનીષ સીસોદિયાએ રિષ્વત માટે ઈમેઈલ પ્લાન્ટ કર્યા હતા.... મનીષ સીસોદિયાએ પ્રોપર્ટી માર્જીનને જાણી જોઈને 6 ટકાથી 12 ટકા કરી દીધા હતા કારણ કે તેનાથી લાંચ લઈ શકાય... તો હવે રાઘવ ચઢ્ઢા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે...



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.