ડમી કાંડ મામલે થયો મોટો ખુલાસો!તોડ કાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી પોલીસે જપ્ત કર્યા 38 લાખ જેટલા રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:46:06

થોડા સમય પહેલા યુવરાજસિંહે ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યો હતો. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક લોકોના નામ લીધા હતા. જે બાદ પોલીસે આ મામલે 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી અને જે બાદ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. રોજે રોજે આ મામલે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે. અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ આ કેસમાં તોડ કાંડનો એંગલ સામે આવ્યો હતો.  


પોલીસે રિક્વર કર્યા 38 લાખ રૂપિયા!

બિપીન ત્રિવેદીના આક્ષેપ અનુસાર યુવરાજસિંહે નામના લેવા માટે પૈસા લીધા હતા. જે બાદ યુવરાજસિંહને ભાવનગર એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે યુવરાજસિંહ જવાબ આપવા હાજર થયા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ ઉપરાંત 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શનિવારે યુવરાજસિંહના સાળાની ધરપકડ સુરતથી કરવામાં આવી હતી. ત્યારે આ કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં યુવરાજસિંહના સાળા કાનભા વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં  આવી છે, મળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


યુવરાજસિંહ પર અપહરણનો ગુન્હો થશે દાખલ!

યુવરાજસિંહ પર ડમી કાંડમાં તોડ કાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવરાજસિંહને કોર્ટ  સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી ત્યારે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ સામે અપહરણનો કેસ દાખલ કરાઈ શકે છે.    


બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાના રિમાન્ડ મંજૂર!

ડમી કાંડ મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડમી કાંડ મામલે યુવરાજસિંહને હાજર થવા એસઓજીએ સમન્સ પાઠવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને શુક્રવારે મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા  બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે ખંડણી મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ યુવરાજસિંહના સાળાને સુરતથી ઝડપી પડાયો હતો. ત્યારેમળતી માહિતી અનુસાર તોડકાંડમાં લેવાયા પૈસા પોલીસે રિકવર કર્યા છે. 38 લાખ જેટલા રુપિયા રિકવર કર્યા છે. મળતી માહિતી અનુસાર કાનભાએ આ રુપિયા પોતાના મિત્રના ઘરે રાખ્યા હતા. પોલીસ કાનભાના મિત્રના ઘરેથી પૈસા રિકવર કર્યા છે.      


 મળતી માહિતી અનુસાર ડમીકાંડ મામલે 6 ઓરોપીઓની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તમામને જેલ હવાલે કરી દેવાયા છે. બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!