Rajkot GameZone દૂર્ઘટના કેસમાં મોટો ખુલાસો, ગેમઝોનવાળાઓએ આ રીતે શોધી હતી છટકબારી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-26 18:45:54

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં મોતનો આંકડો 28 પર પહોચ્યો છે. પરંતુ આ આંકડો વધવાની શક્યતા છે. જો ગેમઝોનના સંચાલકોએ લાપરવાહી દાખવી ન હોત તો આજે આ બધા જીવતા હોત. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી સહિત 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે. સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ.. 


ગેમ ઝોનમાં રમવા આવતા લોકો પાસેથી લેવાતી હતી બાંહેધારી! 

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ રાજકોટના આ કાલાવાડ રોડના TRP ગેમ ઝોનમાં શનિવારે મોડી સાંજે અચાનક આગ લાગતા મોતનું તાંડવ મચી ગયું છે. ત્યારે આ ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા મોતનું ફોર્મ .રાજકોટ ગેમિંગ ઝોન આગ મામલે મોટો ખુલાસો થયો છે કે ગેમિંગ ઝોનમાં ગેમ્સ રમવા આવનાર તમામ પાસે લેખિતમાં બાંહેધરી લેવાતી હતી, તેના માટે એક ફોર્મ ભરવામાં આવતુ હતુ કે જેમાં ઈજા કે ગેમ રમતા કઈપણ બને તો, ગેમિંગ ઝોનના સંચાલકોની કોઈ જવાબદારી નહી રહે.... 


શું લખવામાં આવતું હતું બાંહેધરીમાં?

રાજકોટ TRP ગેમ્સ રમવા આવતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર ઈજા કે મોત માટે તેઓ જવાબદાર નહીં હોવાનું લખાવતા હતા . આ ફોર્મમાં લખેલુ છે કે કોઈ પણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી કંપનીની નહીં હોય. ત્યારે કંપની પહેલાથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવતી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.