શ્રીમદ ભગવત ગીતા જયંતિ નિમિત્તે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, શાળાઓના અભ્યાસક્રમમાં થશે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-12-22 14:46:28

આજે 22 ડિસેમ્બર, શુક્રવારના રોજ હિંદુ ધર્મના પવિત્ર ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવત ગીતાની જન્મ જયંતિ છે. આજે વર્ષ ગીતાની આ 5160મી વર્ષગાઠ છે. દર વર્ષે માગશર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ મનાવવામાં આવે છે. આજે ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં હવે તમામ સરકારી શાળામાં શ્રીમદ ભગવત ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Image

ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ ભણશે ગીતા


રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 6થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં હવે શ્રીમદ ભગવત ગીતા ભણાવવામા આવશે. આજે ગીતા જંયતીના નિમિત્તે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે શ્રીમદ ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે અને તેની કાયદેસર પરીક્ષા પણ લેવામાં આવશે.


2024 નવા શૈક્ષણિક સત્રથી શ્રીમદ ભગવત ગીતાનો અભ્યાસ કર્મમાં સમાવેશ


ઉલ્લેખનિય છે કે મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી વાતચીતથી ભગવત ગીતાનો જન્મ થયો. સનાતન ધર્મમાં આ એકમાત્ર શાસ્ત્ર છે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. વળી ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાંતને દ્રઢ કરવોનો ઉદ્દેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે. આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.