સંસદની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે સાંસદોની સુરક્ષા CISFના હાથમાં રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-23 18:39:39

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના આગામી સત્ર દરમિયાન મુલાકાતીઓ અને તેમના સામાનની તપાસ કરવા માટે 140 કર્મચારીઓની CISF ટીમને મંજૂરી આપી છે. સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની અને નવી સંસદની ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવરેજ હેઠળ લાવવામાં આવશે. આ સિવાય વર્તમાન સંસદ સુરક્ષા સેવા, દિલ્હી પોલીસ અને CRPFનું પાર્લામેન્ટ સિક્યુરીટી ગ્રૂપ પણ સંસદ પરિસર વિસ્તારને સુરક્ષા પ્રદાન કરશે.


CISFના જવાનોએ શરૂ કરી ગતિવિધીઓ


કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સંસદના બજેટ સત્ર દરમિયાન CISF સંસદના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાની સુરક્ષા કરશે. CISF ગેસ્ટ સિક્યુરિટી અને ફ્રિસ્કિંગનું કામ પણ કરશે. આ પહેલા ગેટની સુરક્ષા માટે દિલ્હી પોલીસ અને સંસદની સુરક્ષા સાથે જોડાયેલા લોકોને તૈનાત કરવામાં આવ્યા હતા. CISFના જવાનોએ સંસદની સુરક્ષાને લઈને તેમની ગતિવિધિઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.


13 ડિસેમ્બર, 2023ની ઘટના બાદ સરકારે નિર્ણય કર્યો


ગૃહ મંત્રાલયે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદની સુરક્ષા ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 2001ની સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર સંસદની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. 13 ડિસેમ્બર, 2023 ના રોજ, બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેમણે એક ટીનમાંથી પીળા રંગનો ધુમાડો કાઢ્યો ત્યારે અંધાધૂંધી સર્જાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે CISFને નવા અને જૂના સંસદ ભવન સંકુલનું નિયંત્રણ આપવામાં આવશે જ્યાં એરપોર્ટ જેવી સુરક્ષા વ્યવસ્થા હશે જેમાં એક્સ-રે મશીનો અને મેટલ ડિટેક્ટર અને શૂઝ, હેવી જેકેટ્સ અને બેલ્ટ્સ દ્વારા લોકો અને સામાનની તપાસ કરવામાં આવશે. ટ્રેમાં એક્સ-રે મશીન વડે તપાસ કરવાની પણ જોગવાઈ છે. CISFમાં લગભગ 1.70 લાખ કર્મચારીઓ છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. દેશના 68 સિવિલ એરપોર્ટ ઉપરાંત, તે એરોસ્પેસ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટર સાથે સંબંધિત મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા માટે પણ જવાબદાર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.