ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-10-23 16:04:10

ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્યની રાજ્યની સ્વનિર્ભર(નોન ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ 7500 સહાય શાળાને આપવામાં આવતી હતી. સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને શાળાઓને મોટો ફટકો પડશે. આ યોજનાને લઈ રાજ્યની સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ બાદ અંતે યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શા માટે અપાતી હતી આર્થિક સહાય?


ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ રાજયમાં ચાલતી નોન ગ્રાન્ટેડ બિન સરકારી માધ્યમિક શાળાઓમાં ચાલતી રોજિંદી પ્રવૃતિઓ માટે મદદરૂપ થઈ શકાય તે માટે આ યોજના હેઠળ મદદ કરતો હતો. સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા, શાળાના શૈક્ષણિક સ્ટાફની લાયકાત અને શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માટેની સુવિધામાં વધારો થાય અને એકંદરે શિક્ષણનું સ્તર સુધરે ઊંચુ આવે તે માટે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય મંજૂર કરવાની નીતિ નિયત કરવામાં આવી હતી. પણ તેમાં શાળાઓ દ્વારા વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની રાવ ઉઠી હતી. જેની તપાસ કરવામાં આવતા તેમાં તથ્ય જણાયું હતું અને આખરે યોજનામાંથી શાળાઓને આઉટ કરી દેવામાં આવી છે.


વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ખાતામાં જમા થશે


રાજ્ય સરકારે ભલે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય યોજના બંધ યોજના બંધ કરી છે, પરંતુ વિદ્યાર્થીઓને અપાતી સહાય તો ચાલું જ રહેશે. હવે નવી યોજનામાં આ સહાય ડાયરેક્ટ વિદ્યાર્થીઓને મળશે. સરકારે વચ્ચેથી શાળાઓને હટાવી દીધી છે. ગુજરાત સરકાર નવી સ્કોલરશિપ અંતર્ગતની આ સહાય સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. આ સહાય માટે હવે શાળા માધ્યમ નહી બને. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.