રાજ્યના પ્રવાસી શિક્ષકોને મોટો ઝટકો, સરકારનો 4300 પ્રવાસી શિક્ષકોની મુદ્દત પૂર્ણ થતા છૂટા કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2024-01-24 20:15:02

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે (Education Department) પ્રવાસી શિક્ષકોને લઈ મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની સરકારી શાળાઓમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો ફેંસલો કર્યો છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂકનો નિર્ણય લેવાયો હતો, પરંતુ જ્યાં સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી યોજના ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. જેમાં 6 માસ અથવા જ્ઞાન સહાયકની નિમણૂક બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની મુદત આપવામાં આવી હતી. આ દરમિયાન મંગળવારના રોજ પ્રવાસી શિક્ષકોની મુદતમાં વધારો કરાયાની 6 માસની મર્યાદા પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે આદેશ કરાયો છે. આ નિર્ણય પાછળનું કારણ ગુજરાતમાં જ્ઞાન સહાયકોની ભરતી થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે અગાઉ જ્ઞાન સહાયકોને બદલે પ્રવાસી શિક્ષકો (Visiting Teacher)ની નિમણૂંક કરવામાં આવી હતી.


 પ્રવાસી શિક્ષકોની ભરતી હંગામી હતી


રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. જેમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ કરાવવાનું આયોજન કર્યું હતું. જોકે, રાજ્યમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં લાંબો સમય લાગે તેમ હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના લંબાવવાનું નક્કી કરાયું હતું. જેમાં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગે પ્રવાસી શિક્ષક યોજનાને વધુમાં વધ 6 માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઠરાવ અનુસાર પ્રવાસી યોજનાને 6 માસનો સમય 23 જાન્યુઆરી, 2024ના રોજ પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના પૂર્ણ કરવામાં આવી છે. જેથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 


તાસ દીઠ અપાતો હતો પગાર

રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ પગાર અપાતો હતો, જો કે જ્ઞાન સહાયકોની ફિકસ પગારથી ભરતી કરાઈ છે. પ્રાથમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 21 હજાર, માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને માસિક 24 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયકોને 26 હજાર પગાર આપવામાં આવે છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!