T-20 વર્લ્ડ કપ પહેલા ભારતીયોને મોટો ઝટકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:17:30

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર બુમ બુમ બુમરાહ એટલે કે જસપ્રીત બુમરાહને પીઠના ભાગમાં ઈજા પહોંચતા તેઓ T20 વર્લ્ડકપમાંથી બહાર થયા છે. તેમને કોઈ સર્જરીની જરૂર નથી પરંતુ સૂત્રો અનુસાર 4-6 મહિના માટે આરામ કરવો પડશે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે ત્રિવેન્દ્રમ નથી ગયા.


અગાઉ પણ જસપ્રીત બુમરાહ બે જ મેચ રમી ચૂક્યા હતા

સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના બીસીસીઆઈના સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે કે બુમરાહ આગામી ટી 20માં ભાગ નહીં લે. હજુ સુધી બીસીસીઆઈએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી. બુમરાહને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જ ઈજા પહોંચી હતી પરંતુ પછી તેઓ બે જ મેચ રમી ચૂક્યા હતા. સાથે જ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં પણ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં પોતાની જગ્યા નહોતા બનાવી શક્યા. જેના કારણે બુમરાહ સુપર ફોર સ્ટેજથી પણ બહાર થવું પડ્યું હતું. 


બુમરાહ નહીં રમે તો શમીને મળી શકે છે તક

સમાચાર મળી રહ્યા છે કે બુમરાહની ઈજા બહુ ગંભીર છે અને તેઓ 4થી 6 મહિના સુધી ગ્રાઉન્ડ પર નહીં રમી શકે. જો કે હજુ સુધી બીસીસીઆઈએ સમગ્ર મામલે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરી. બુમરાહ ઓન ફિલ્ડ નહીં રહે તો ભારતીય ટીમના ફાસ્ટ બોલ મોહમ્મદ શમીને ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે