Ahmedabadમાં 7 વર્ષની બાળકી બની હવસનો શિકાર, પહેલા શારીરિક અડપલા કર્યા અને પછી...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 14:39:21

ગુજરાતને એકસમયે સેફ રાજ્ય માનવામાં આવતું હતું. એવી પરિસ્થિતિ હતી કે દીકરી જો ઘરેથી નીકળતી તો પરિવારજનોને ચિંતા થતી ન હતી. પરંતુ હવે પરિસ્થિતિ એકદમ અલગ બદલાઈ ગઈ છે. આપણા રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેના અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હેવાનિયતની તમામ હદ પાર થઈ ગઈ છે. 7 વર્ષીય દીકરી પર પાડોશીએ દુષ્કર્મ આચર્યું છે અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે. વટવા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

ગુજરાતમાં વધુ એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને હત્યાની ઘટના, સુરતમાં અઢી વર્ષની  બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમમાં ...

સાત વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ!

નાની નાની બાળકીઓ લોકોના હવસનો શિકાર બની રહી છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં માસુમ બાળકી પર જબરદસ્તી કરવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓ તો એવા છે જેમાં ઘટનાની જાણ કોઈને થાય નહીં તે માટે બાળકીની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જે હચમચાવી દે તેવી છે. વટવાથી એક કિસ્સો સામે આવ્યો જેમાં સાત વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેના પાડોશી દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. અને પછી બાળકીની હત્યા કરવામાં આવી. 


બાળકીએ બૂમો પાડવાની શરૂઆત કરી, આરોપીએ ગળું દબાવ્યું!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બિહારથી વટવા મૃતકનો પરિવાર આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક બાળકીને પોલિયોની બીમારી હતી અને તેની સારવાર કરાવવા માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. આરોપીએ બાળકીને લાલચ આપી તેના ઘરે બોલાવી. જ્યારે બાળકી આરોપીના ઘરે ગઈ હતી ત્યારે તેની સાથે જબરદસ્તી કરવામાં આવી. અડપલા કરાતા બાળકીએ  બૂમાબૂમ કરવાની શરૂઆત કરી. બાળકી બૂમો ના પાડે તે માટે આરોપીએ તેનું ગળું દબાવ્યું. આ દરમિયાન બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી અને શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત નિપજ્યું. અનેક કલાકો વિત્યા બાદ પણ બાળકી ઘરે ન આવી તો પરિવારજનોએ શોધખોળ કરી. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં આરોપીના ઘરે મળી. 


આ મામલે પોલીસે હાથ ધરી તપાસ  

જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તાંગમાં પણ ઈજાઓ થયેલી હતી. ઘટનાની જાણ થતા આરોપીની ધૂલાઈ કરવામાં આવી. ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!