ન્યુઝીલેન્ડમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ, ધરતીકંપ બાદ સુનામી માટે રહેવું પડશે તૈયાર!


  • Published By :
  • Published Date : 2023-03-16 09:29:20

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. તુર્કી અને સીરિયામાં ભૂકંપે વિનાશ સર્જયો હતો. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ ગયા હતા જ્યારે હજારો લોકો નિરાધાર બની ગયા હતા. ભૂકંપને લઈ લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ ભારે તીવ્રતાવાળા ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1ની નોંધાઈ હતી.


રિક્ટર સ્કેલ પર નોંધાઈ 7.1ની તીવ્રતા 

ભૂકંપના આંચકાનો અનુભવ અનેક દેશોમાં થઈ રહ્યો છે. અનેક દેશોમાં ધરતીકંપના આંચકાને લઈ ભારે નુકસાન થતું હોય છે. તુર્કી અને સીરિયામાં ભારે નુકસાન ધરતીકંપને કારણે થયું છે. તે બાદ અફઘાનિસ્તાન સહિત અનેક દેશોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે ગુરૂવારે ન્યુઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપ ન્યુઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામી માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.