ભાજપના 33 વર્ષ જુના કાર્યકર્તાએ પાર્ટી વિરૂધ્ધ રોષ ઠાલવ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 18:04:55

અપની બિલ્લી અપને કો મ્યાઉં...જો આવું જ કંઈક ભાજપમાં થાય તો શું થાય? હા પણ આવું જ કંઈક કર્યું છે ભાજપના 33 વર્ષ જુના એક કાર્યકર્તાએ પાર્ટીની નિતીઓ વિરૂધ્ધ રોષ વ્યક્ત કર્યો છે. રાજ્યમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ભરતી મેળાનો ભાજપના જ એક દાયકાઓ જુના કાર્યકરે વિરોધ કર્યો છે. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીઓ આવે એટલે નેતાઓ પક્ષપલટો કરતા નજરે પડતા હોય છે. ભાજપ 156 સીટોથી પણ ધરાતી ના હોય તેમ ભરતી મેળો શરૂ કર્યો છે. જેમાં વિપક્ષી નેતાઓને ભાજપ તરફી ખેંચવામાં આવે છે. હાલ કોંગ્રેસ અને આપના નેતાઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપમાં લાવીને ખેસ પહેરાવવા માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે ભાજપના આ ભરતી મેળાનો વિરોધ ભાજપના 33 વર્ષ જુના ભાજપના કાર્યકર્તાએ કર્યો છે.


સોશિયલ મીડિયા પોસ્ટ  વાયરલ થઈ


ભાજપના આ 33 વર્ષ જુના કાર્યકર્તાનું નામ જયદીપસિંહ વાઘેલા છે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે અને ભાજપ વિષે લખ્યું છે કે, રામ તેરી ગંગા મેલી હો ગઈ સત્તા કી લાલચ મેં..સાથે તેમને એવું પણ લખ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ ભાજપ અંગે જેમ-તેમ બોલતા હતા એ નેતાઓને ભાજપ કેવી રીતે સ્વીકારી શકે છે? જયદીપસિંહ વાઘેલાની આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે અને પાર્ટી તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.