પાકિસ્તાનમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 9 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 22:00:12


ઉત્તરી પાકિસ્તાનમાં એક કાચા મકાનની છત ધરાશાયી થતાં એક પરિવારના નવ લોકોનાં મોત થઈ ગયા હતા. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના ચિલાસ શહેરમાં થઈ હતી. દુર્ઘટનામાં એક રેસ્ટોરાંના વેઈટરની પત્ની, ચાર પુત્રો અને ચાર પુત્રીઓના મોત થયા છે. દુર્ઘટના સમયે વેઈટર કામ પર ગયો હતો. મૃત્યુ પામેલા ભાઈ-બહેનોની ઉંમર 2થી 12 વર્ષની અંદર હતી.   

ઈસ્લામાબાદના શૉપિંગ મૉલમાં લાગી આગ

પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક શોપિંગ મૉલમાં આગ લાગી હતી. હાલ મૉલ અંદરના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ફાયરવિભાગની ગાડીઓ પહોંચી હતી અને તડામાર કામગીરી કરી હતી. 






આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.