પાકિસ્તાનમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 9 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 22:00:12


ઉત્તરી પાકિસ્તાનમાં એક કાચા મકાનની છત ધરાશાયી થતાં એક પરિવારના નવ લોકોનાં મોત થઈ ગયા હતા. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના ચિલાસ શહેરમાં થઈ હતી. દુર્ઘટનામાં એક રેસ્ટોરાંના વેઈટરની પત્ની, ચાર પુત્રો અને ચાર પુત્રીઓના મોત થયા છે. દુર્ઘટના સમયે વેઈટર કામ પર ગયો હતો. મૃત્યુ પામેલા ભાઈ-બહેનોની ઉંમર 2થી 12 વર્ષની અંદર હતી.   

ઈસ્લામાબાદના શૉપિંગ મૉલમાં લાગી આગ

પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક શોપિંગ મૉલમાં આગ લાગી હતી. હાલ મૉલ અંદરના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ફાયરવિભાગની ગાડીઓ પહોંચી હતી અને તડામાર કામગીરી કરી હતી. 






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.