823 વનરક્ષક બીટગાર્ડની સીધી ભરતી થશેઃ ગુજરાત વનમંત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:29:20

વનરક્ષક બીટગાર્ડની ભરતી કરાશે

ગુજરાતના વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં વન રક્ષક બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે અને ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 1 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત થશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના મત મેળવવા તેમને ખુશીના સમાચાર આપ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોત પોતાની રીતે બળ લગાવી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને લુભાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ભાજપ પાસે સાશન હોવાનો મોટો પ્લસ પોઈન્ટ છે. ભાજપ પાસે સરકાર હોવાથી આચાર સંહિતા પહેલા કોઈ પણ જાહેરાત કરી શકે છે ત્યારે તેમણે વનરક્ષકોની ભરતી બાબતે જાહેરાત કરી છે. 




 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.