ભાદર-1 ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 14:17:27

વિદાય લેતા પહેલા મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થઈ વરસી રહ્યા છે. વરસાદી માહોલ જામતા અનેક નદીઓ બે કાંઠે વહી થઈ છે. પાણીની સારી આવક થતા અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ થતા રાજકોટ પર જળસંકટ ઘેરાઈ રહ્યું છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણી આવક થતા ભાદર-1 ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાદર-1 ડેમ ઓવરફ્લો

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘમહેર જોવા મળી છે. ભાદરવો ભરપૂર કહેવત સાચી થઈ રહી છે. ભાદર-1 ડેમમાં સતત બીજા દિવસે પાણીની આવક થઈ છે. ડેમ છલોછલ ભરાતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટ:ન્યારી બાદ આજી-ભાદર છલકાવાની તૈયારી

આસપાસના ગામોને કરાયા એલર્ટ

સતત પાણીની આવક થતા ડેમ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખીરસરા, સરઘાપુર, વસાવડા, ભૂખી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 8 દરવાજા ખોલી 7000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ ગણાતા ભાદર ડેમમાં પાણી આવતા પાણીનો સંકટ ટળી ગયો છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.