ભાદર-1 ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 14:17:27

વિદાય લેતા પહેલા મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થઈ વરસી રહ્યા છે. વરસાદી માહોલ જામતા અનેક નદીઓ બે કાંઠે વહી થઈ છે. પાણીની સારી આવક થતા અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ થતા રાજકોટ પર જળસંકટ ઘેરાઈ રહ્યું છે. આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણી આવક થતા ભાદર-1 ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

ભાદર-1 ડેમ ઓવરફ્લો

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. શ્રાવણ મહિનામાં વરસ્યા બાદ ભાદરવા મહિનામાં પણ મેઘમહેર જોવા મળી છે. ભાદરવો ભરપૂર કહેવત સાચી થઈ રહી છે. ભાદર-1 ડેમમાં સતત બીજા દિવસે પાણીની આવક થઈ છે. ડેમ છલોછલ ભરાતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજકોટ:ન્યારી બાદ આજી-ભાદર છલકાવાની તૈયારી

આસપાસના ગામોને કરાયા એલર્ટ

સતત પાણીની આવક થતા ડેમ નજીક આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખીરસરા, સરઘાપુર, વસાવડા, ભૂખી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. ડેમના 8 દરવાજા ખોલી 7000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ ગણાતા ભાદર ડેમમાં પાણી આવતા પાણીનો સંકટ ટળી ગયો છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.