તહેવારોની સીઝનમાં કેન્દ્ર સરકારની મોટી ભેટ, નિવૃત કર્મચારીઓને DA બાદ હવે DRમાં પણ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:13:14

દિવાળીના તહેવાર પહેલા 7મા પગાર પંચે કેન્દ્ર સરકારના પેન્શનરોને ખુશખબર આપ્યા છે. તાજેતરમાં, સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ પછી મોંઘવારી રાહત એટલે કે DR (મોંઘવારી રાહત)માં પણ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ડીએ વધવાની સાથે ડીઆર પણ વધે છે. સરકારી પેન્શનરો માટે ડીઆરમાં 4 ટકાનો વધારો 1 જુલાઈ, 2022થી અમલી બનાવવામાં આવ્યો છે. આ રીતે, પેન્શનરો માટે DR હવે 38% થઈ ગયો છે. અગાઉ તે 34 ટકા હતું. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આ જાહેરાતની સૂચના જારી કરવામાં આવી છે.


DR 34%થી વધારીને 38% કરવાનો નિર્ણય 


સરકારી પેન્શનરોની સાથે ફેમિલી પેન્શનરો પણ 38% DRનો લાભ લઈ શકશે. 1 જુલાઈ, 2022 થી DR 34% થી વધારીને 38% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઆરની સાથે સરકારે ડીએમાં પણ 4 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં વધારાનો લાભ સરકારી કર્મચારીઓ, કેન્દ્ર સરકારના પેન્શનરો અને કેન્દ્ર સરકાર તરફથી ફેમિલી પેન્શનનો લાભ લેનારા લોકોને આપવામાં આવશે.


DRનો લાભ આ લોકોને મળશે



- કેન્દ્ર સરકારના પેન્શનરો સિવાય કેન્દ્ર સરકારના નાગરિક પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો કે જેઓ જાહેર ઉપક્રમ અથવા સ્વાયત્ત સંસ્થામાં પોસ્ટ કરવામાં આવ્યા છે.


- સશસ્ત્ર દળોના પેન્શનરો, નાગરિક પેન્શનરો જેમને સંરક્ષણ સેવા અંદાજ દ્વારા ચૂકવવામાં આવે છે.


- અખિલ ભારતીય સેવા પેન્શનરો


- રેલ્વે પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો


જે પેન્શનરોને કામચલાઉ પેન્શન આપવામાં આવી રહ્યું છે.


બર્મા નાગરિક પેન્શનરો. કૌટુંબિક પેન્શનરો અથવા પેન્શનરો સિવાયના બર્મા/પાકિસ્તાનમાંથી વિસ્થાપિત સરકારી પેન્શનરો કે જેમના સંબંધમાં આ વિભાગના OM નંબર 23/3/2008-P&PW(B) તારીખ 11.09.2017 દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.