દેશના 78% વૃધ્ધો પાસે નથી પેન્શન, NITI આયોગે કરી અનિવાર્ય બચત યોજનાની ભલામણ


  • Published By :
  • Published Date : 2024-02-20 14:30:58

નીતિ આયોગે કેન્દ્ર સરકારને વૃધ્ધોને નિવૃતિ પેન્શન આપવાની ભલામણ કરી છે. હાલ દેશમાં 78 ટકા સીનિયર સિટિજન્સની પાસે પેન્શનનો સહારો પણ નથી. 60 વર્ષથી ઉપરના માત્ર 18 ટકા લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. માત્ર 13 ટકા વૃધ્ધો પાસે આરોગ્ય સંબંધિત ખર્ચા કાઢી શકાય તેટલા નાણા છે. આજ કારણે નીતિ આયોગે કહ્યું છે કે રિટાયરમેન્ટ બાદ વૃધ્ધોની આર્થિક સ્થિતી ખરાબ થવાનો તોળાઈ રહ્યો છે. 


NITIની રિપોર્ટ જાહેર


દેશના NITI આયોગે એક રિપોર્ટ જાહેર કરી છે. 'સિનિયર કેયર રિફોર્મન્સ ઈન ઈન્ડિયા- રીઈમેજિનિંગ ધ સિનિયર કેયર પેરાડાઈમ' નામની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૃધ્ધો માટે એક નેશનલ પોર્ટલ બનાવવા જોઈએ. જેથી તે પોતાની જીવન જરૂરીયાતો પૂરી કરી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ 12.8 ટકા લોકો 60 વર્ષથી વધુ વયના છે. વર્ષ 2031 એવા લગભગ 13.2 ટકા અને 2050 સુધી આ આંકડો લગભગ 19 ટકા થઈ જશે.  વર્ષ 2021થી 2031 વચ્ચે ડિપેન્ડેન્સી રેશિયો 15.7 ટકાથી વધીને 20.1 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે વર્કિંગ પોપ્યુલેશનની આર્થિક જવાબદારીઓ વધશે. 


શું કહ્યું નીતિ આયોગે?


નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે ભારતમાં સોશિયલ સિક્યોરિટી ફ્રેમવર્કની મર્યાગા સમિત છે. મહત્તમ વૃધ્ધો તેમની બચતની રકમ પર નિર્ભર છે, પરંતુ વ્યાજ દરોમાં વધ-ઘટથી તેમની આવક પર અસર થાય છે. અને તેમની જરૂરિયાતો પુરી કરવી મુશ્કેલ બની જાય છે. સરકારે આ માટે રિવર્સ મોર્ગેજના નિયમોમાં પણ જરૂરી ફેરફાર કરવો જોઈએ, જેથી વૃધ્ધો માટે લિક્વિડીટી વધી શકે. રિવર્સ મોર્ગેજ દ્વારા વૃધ્ધો તેમની પ્રોપર્ટીમાં રહેવાની સાથે જ તેના પર લોન લઈ શકે છે, તથા એક નક્કી કરેલી માસિક રકમ મેળવી શકે છે.   


અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને મળે પેન્શનનો હક


NITI આયોગે કહ્યું છે કે અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને પણ પેન્શન સપોર્ટ મળવો જોઈએ, મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફારની પણ જરૂરીયાત છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વૃધ્ધોને પણ સામેલ કરવા જોઈએ, અને તેનું કવરેજ અનેક નોન-મેડિકલ ચીજો સુધી વધારતા ઘરમાં જ ઉભી થનારી હેલ્થથી સંબંધિત જરૂરિયાતોને પણ પુરી કરવી જોઈએ. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.