અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:13:03

અમદાવાદ નિર્માણાધિન એસ્પાયર-2 નામની બિલ્ડિંગના સાતમા મેળીથી લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. સાતમા માળેથી લિફ્ટ સીધી નીચે ધસી આવી હતી જેમાં શ્રમિકોના મોત થયા હતા. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. મળતી માહિતી મુજબ તમામ મજૂરો પંચમહાલના ઘોઘંબા તાલુકાના વતની છે. હાલ 1 મજૂરોની હાલત ગંભીર છે.


કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક  એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. જેમાં તમામ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. સવારે 9થી સાડા નવ વાગ્યા વચ્ચે અચાનક સાતમા માળેથી લિફ્ટ તૂટતા સાત શ્રમિકોના મોત થયા છે. અન્ય 1 ગંભીર રીતે ઘાયલ મજૂરોને સારવાર આપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ નિર્માણાધીન એસ્પાયર-2 બિલ્ડિંગ ખાતે પહોંચી તપાસ કામગીરી કરી હતી. 


ફાયર બ્રિગેડ જવાનોએ શું પ્રતિક્રિયા આપી

 ફાયર બ્રિગેડની ટીમે માહિતી આપી હતી કે બિલ્ડિંગના માલિકો દ્વારા કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી. પત્રકારોએ માહિતી આપ્યા બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાસ્થળે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર મળ્યો નથી.

 


લિફ્ટ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ




સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.