અમદાવાદમાં લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 15:13:03

અમદાવાદ નિર્માણાધિન એસ્પાયર-2 નામની બિલ્ડિંગના સાતમા મેળીથી લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. સાતમા માળેથી લિફ્ટ સીધી નીચે ધસી આવી હતી જેમાં શ્રમિકોના મોત થયા હતા. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. મળતી માહિતી મુજબ તમામ મજૂરો પંચમહાલના ઘોઘંબા તાલુકાના વતની છે. હાલ 1 મજૂરોની હાલત ગંભીર છે.


કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના 

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક  એસ્પાયર-2 નામની બિલ્ડિંગ બની રહી છે. જેમાં તમામ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. સવારે 9થી સાડા નવ વાગ્યા વચ્ચે અચાનક સાતમા માળેથી લિફ્ટ તૂટતા સાત શ્રમિકોના મોત થયા છે. અન્ય 1 ગંભીર રીતે ઘાયલ મજૂરોને સારવાર આપવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ નિર્માણાધીન એસ્પાયર-2 બિલ્ડિંગ ખાતે પહોંચી તપાસ કામગીરી કરી હતી. 


ફાયર બ્રિગેડ જવાનોએ શું પ્રતિક્રિયા આપી

 ફાયર બ્રિગેડની ટીમે માહિતી આપી હતી કે બિલ્ડિંગના માલિકો દ્વારા કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી. પત્રકારોએ માહિતી આપ્યા બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. દુર્ઘટનાસ્થળે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર મળ્યો નથી.

 


લિફ્ટ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ




સમાચાર અપડેટ થઈ રહ્યા છે.... 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.