Congressના 7 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ફિરાકમાં! સી.જે.ચાવડા આ તારીખે કેસરિયો કરશે ધારણ, જાણો કોના નામોની થઈ રહી છે ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-02-05 16:12:32

એક સમય હતો જ્યારે ભાજપના નેતાઓ કહેતા હતા કે ગુજરાત કોંગ્રેસ મુક્ત બનાવવાની છે પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા જઈ રહી છે! કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તો આગામી દિવસોમાં વધુ 7 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી સંભાવના છે. માત્ર મંત્રીપદ માટે વાત અટકી છે તેવી માહિતી સામે આવી છે.  

કોંગ્રેસના વધુ સાત ધારાસભ્યો આપી શકે છે પદ પરથી રાજીનામું 

લોકસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ છે જેના પગલે કોંગ્રેસના ધારાસભ્યોથી માંડીને નેતા-કાર્યકરો કમલમ તરફ દોટ મૂકી રહ્યા છે. ભાજપમાં જોડાતા જ ધારાસભ્યોના, કાર્યકર્તાઓના હૃદય પરિવર્તન થઈ રહ્યા છે. ગુજરાત સમાચારના અહેવાલ મુજબ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા-વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરી શકે છે. સી.આર.પાટીલને હજુ 182 ના જીતવાનો વસવસો છે અને દરેક કાર્યક્રમમાં એ કહે છે કે મારુ હૃદય અંદરથી રડી રહ્યું છે એટલે એ લક્ષ્ય ભાજપ પૂરું કરતાં દેખાય છે.


આ ધારાસભ્યના નામોને લઈ ચાલી રહી છે અટકળો!

ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી પણ 182 બેઠકો હાંસલ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. અનેક ધારાસભ્યો પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. હજુ કોંગ્રેસના સાતેક ધારાસભ્યો ગમે તે ઘડીએ પક્ષપલટો કરવાની ફિરાકમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાબુ વાજા, રઘુ દેસાઇ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલિત વસોયા જેવા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. અર્જૂન મોઢવાડિયા અને શૈલેષ પરમારનું મંત્રીપદ માટે અટક્યુ છે. જો ટર્મ્સ એંડ કન્ડિશન સરખી બેસશે તો રાતો રાત આ બધાના મન બદલાઈ જશે ભાજપની વિચાર ધારા આ બધાને શ્રેષ્ઠ લાગવા મંડ્શે 


ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે અને ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું છે!

કોંગ્રેસ દિવસેને દિવસે નબળી થઈ રહી છે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તી કરવામાં આવી ત્યારે બધાને આશા હતી કે હવે કોંગ્રેસ મજબૂત થશે પણ ખેર એ આશા પર પાણી ફરી ગયું છે. જો આ જ પરિસ્થિતિ રહી તો, લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ યુક્ત અને ગુજરાત કોંગ્રેસ મુક્ત બની જશે તે આ વાત નક્કી છે! ડેમેજ કંટ્રોલ કરવાને બદલે શક્તિસિંહ હજુય ધારાસભ્યો-નેતાઓને સાચવવામાં નિષ્ફળ રહ્યા છે એટલુ જ નહી, ખુદ ધારાસભ્યો શક્તિસિંહને પ્રવાસી પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કેમ કે, તેઓ દિલ્હીમાં જ ઘણો સમય રહે છે. ગુજરાતમાં પ્રવાસના નામે અન્ય જિલ્લામાં ફરતા રહે છે. આમ કોંગ્રેસનું આંતરિક  વિખવાદ ચરમસિમાએ છે 


12 ફુબ્રુઆરીએ સી.જે.ચાવડા કેસરિયો ધારણ કરશે

કોંગ્રેસના ધારાસભ્યો જેમણે રાજીનામાં આપ્યા છે એ એક બાદ એક ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ગણાતા સી.જે. ચાવડા ભાજપમાં 12મી ફેબ્રુઆરીએ જોડાશે હજુ ગઈકાલે જ ચિરાગ પટેલ ખંભાતમાં સી.આર.પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાયા 19 જાન્યુઆરીએ રાજીનામું આપનારા સી.જે.ચાવડા આગામી 12મી ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવાના છે સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે ત્યારે કોંગ્રેસની આ પરિસ્થતિ પાછળ કોણ જવાબદાર તે એક મોટો પ્રશ્ન છે..  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!