એક જ પરિવારના 7 સભ્યોએ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, અંતિમ સંસ્કાર માટે ટ્રેક્ટરમાં લઈ જવાયા મૃતદેહ


  • Published By :
  • Published Date : 2022-10-31 15:02:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે. ત્યારે ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ પરિવારના 7 સભ્યોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જે 7 લોકોના મોત થયા છે તેમાંથી 5 મૃતકો તો બાળકો હતા. આ તમામ 7 લોકોના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ યાત્રા દરમિયાન સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. 



મોતના આંક સતત વધી રહ્યા છે

રવિવારની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝુલતો બ્રિજ અચાનક પડી જતા અનેક લોકો નદીમાં ડૂબી ગયા હતા. અંદાજીત આ ઘટનામાં 400 લોકો નદીમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન થકી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. મળતા આંકડા મુજબ આ મોતનો આંક 130ને પાર પહોંચી ગયો છે.


એક જ પરિવારના 7 સભ્યોએ ગુમાવ્યો જીવ  

ઘટના બાદ મોરબીમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યોને શોધી રહી છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. કોઈકે પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈકે માતા પિતાને ગુમાવ્યા છે. આ ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ  પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે સાત લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમાંથી 5 તો બાળકો હતા. આ ઘટનામાં અનેક બાળકો તથા મહિલાઓ મોતને ભેટ્યા છે. નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્તા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારને ગુમાવનાર લોકો કોને દોષ આપે. સરકારને, કંપનીને કે કુદરતને... આમા જેની પણ ભૂલ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.