અમેરિકામાં ઘુસવા 66 ગુજરાતીઓએ એજન્ટોને 60થી 80 લાખ રૂપિયા ચૂકવ્યા, 15 એજન્ટો ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-03 15:32:42

ગુજરાતીઓમાં અમેરિકા જવાની ઘેલછા ગાંડપણની હદે પહોંચી છે, કોઈ પણ રસ્તે અમેરિકા પહોંચવા માગતા ગુજરાતીઓના કારણે એજન્ટો માલામાલ થઈ રહ્યા છે. તાજેતરમાં દુબઇથી ગેરકાયદેસર રીતે ફ્લાઇટ ભાડે કરીને જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. ફ્રાંસ પોલીસે  શંકાને આધારે પેસેન્જરોના પાસપોર્ટ તપાસ્યા ત્યારે  પાસપોર્ટમાં નિકારાગુઆ જવાના વિઝા સ્ટેમ્પ ન જોવા મળતા ફ્લાઇટમાં રહેતા 303 જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં 66 જેટલા ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં ચાલતા કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. 


15 એજન્ટોએ રૂ.60-80 લાખ પડાવ્યા


સીઆઇડી ક્રાઇમે કબૂતરબાજીના કૌભાંડમાં ફ્રાંસથી પરત ફરેલા ગુજરાતીઓને લઈ મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે 15 એજન્ટોએ 60થી 80 લાખ રૂપિયા લઇને 66 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યા હતા. આ મુસાફરો મહેસાણા, ગાંધીનગર, આણંદ તેમજ અમદાવાદ જિલ્લાના રહેવાસી છે. આ લોકોએ ધોરણ આઠથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લોકલ એજન્ટ મારફતે 60થી 80 લાખ રૂપિયા ચૂકવી અમદાવાદથી દુબઈ, દુબઈથી નિકારા ગુઆ અને ત્યાંથી અમેરિકા જવાના હતા. આ માટે મુસાફરોને સાથે રાખવા માટે એજન્ટોએ એક હજારથી 3 હજાર ડૉલર આપ્યા હતા. અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી 10 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન દુબઇ પહોંચ્યા હતા. બાદમાં 21 ડિસેમ્બર લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટમાં નિકારાગુઆ જવા માટે નીકળ્યા હતા. 


મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા

  

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તમામ 66 મુસાફરોના નિવેદનો નોંધવાની સાથે તેમના સગાઓ અને મિત્રોની પણ પુછપરછ કરવામાં આવતા સીઆઇડી  ક્રાઇમને 15 એજન્ટોના નામ અને મોબાઇલ નંબર મળ્યા હતા. એક કરોડના પેકેજમાં મેક્સિકો-અમેરિકા બોર્ડર પરથી ટ્રમ્પ વોલ ક્રોસ કરવા દેવાની ખાતરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલાંક એજન્ટોએ નિકારાગુઆથી મેક્સિકો જવા માટે વિવિધ સુવિદ્યાઓ આપવા માટે એક હજાર ડોલરથી ત્રણ હજાર ડોલર સુધીની રકમ નક્કી થઇ હતી. 66 મુસાફરોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે  મોટાભાગના ધોરણ 8 થી 12 સુધી ભણેલા છે. જેના કારણે સારા પગારની નોકરી ન મળતા ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. તપાસનો રેલો ઘર સુધી પહોંચતા તમામ 15 એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે તમામની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!