બેંક કર્મચારીઓએ ફરી હડતાળનું ઉગામ્યું શસ્ત્ર, બેંકોમાં આટલા દિવસ સુધી રહેશે કામકાજ ઠપ


  • Published By :
  • Published Date : 2023-11-17 18:14:37

દેશની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ફરી એક વખત હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આગામી ડિસેમ્બર મહિનામાં બેંકોનું કામકાજ કેટલાક દિવસો સુધી ઠપ થઈ જશે. ઓલ ઈન્ડિયા બેંક ઓમ્પ્લોઈઝ એસોશિયેશન (AIBEA)એ આ મામલે એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે. AIBEAએ ડિસેમ્બર 2023માં બેંકોમાં અલગ-અલગ તારીખોએ હડતાલની જાહેરાત કરી છે. આ હડતાળ 4 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ચાલશે. 


આ દિવસે બેંકોમાં રહેશે હડતાળ


બેંક યુનિયનના એલાન પ્રમાણે 4થી 11 ડિસેમ્બર દરમ્યાન અલગ-અલગ બેંકોના કર્મચારી જુદા-જુદા દિવસે હડતાળ પાડશે. 4 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક તથા પંજાબ એન્ડ સિંધ બેન્કમાં હડતાળ રહેશે. 5 ડિસેમ્બરે બેંક ઓફ બરોડા તથા બેંક ઓફ ઈન્ડીયામાં હડતાળ રહેશે. 6 ડિસેમ્બરે કેનેડા બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા, 7 ડિસેમ્બરે ઈન્ડીયન બેંક તથા યુકો બેંક 8 ડિસેમ્બરે યુનિયન બેંક ઓફ ઈન્ડીયા તથા બેંક ઓફ મહારાષ્ટ્ર અને 11 ડિસેમ્બરે ખાનગી બેંકોમાં હડતાળ રહેશે.


શા માટે હડતાળ?


બેંકોમાં આઉટસોર્સિંગ બંધ કરીને ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે બેંક કર્મચારી યુનિયન દ્વારા આવતા મહિનામાં હડતાળનું એલાન કરાયું છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે સરકાર તથા બેંક મેનેજમેન્ટ કલાર્કની જગ્યાઓમાં કાપ મુકીને સુપરવાઈઝરી સ્ટાફની સંખ્યા વધારી રહી છે. ઔદ્યોગીક તકરાર કાયદા હેઠળ છટકવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યાની શંકા છે, જેનો કર્મચારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા એકશન પ્લાન હેઠળ જુદા-જુદા દિવસોમાં અલગ-અલગ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે એટલે બેંકીંગ કામગીરી વ્યાપક રીતે પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.