સીરિયામાં ભૂકંપને કારણે 53 લાખ લોકો થયા બેઘર!! વિનાશકારી ભૂકંપને કારણે સર્જાઈ તારાજી


  • Published By :
  • Published Date : 2023-02-11 13:29:35

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ ભૂકંપ એકદમ ખતરનાક સાબિત થયો છે. બંને દેશોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 24 હજારની આસપાસ લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ 78 હજારને પાર પહોંચી ગયો છે. રાહતની કામગીરી સતત ચાલી રહી છે. આ ઘટનાને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા લગાવામાં આવી રહ્યું છે.


ચાલી રહી છે રાહત અને બચાવની કામગીરી    

થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળાઆ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે મોટી સંખ્યામાં બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી. અનેક લોકો કાઠમાળની નીચે ફસાઈ ગયા હતા. રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે. દબાયેલા લોકોને બહાર નીકાળવાની કામગરી સતત ચાલી રહ્યું છે. આ તારાજીને કારણે હજાર લોકો બેધર થઈ ગયા છે. 


53 લાખ જેટલા લોકો થઈ ગયા છે બેઘર 

આ વિનાશકારી ભૂકંપને લઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આંકડો આપવામાં આવ્યો છે જેને લઈ ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાને કારણે 53 લાખ જેટલા લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. યૂએન હાઈ કમિશ્નર ઓફ રિફ્યુજીના સીરિયાઈ પ્રતિનિધીએ જણાવ્યું કે સીરિયામાં ઓછામાં ઓછા 53 લાખ જેટલા લોકો આ ભૂકંપને કારણે બેઘર થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા રાહતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે