સીરિયામાં ભૂકંપને કારણે 53 લાખ લોકો થયા બેઘર!! વિનાશકારી ભૂકંપને કારણે સર્જાઈ તારાજી


  • Published By :
  • Published Date : 2023-02-11 13:29:35

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. આ ભૂકંપ એકદમ ખતરનાક સાબિત થયો છે. બંને દેશોમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર 24 હજારની આસપાસ લોકોના મોત થયા છે. તે સિવાય ઈજાગ્રસ્તોનો આંકડો પણ 78 હજારને પાર પહોંચી ગયો છે. રાહતની કામગીરી સતત ચાલી રહી છે. આ ઘટનાને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી દ્વારા લગાવામાં આવી રહ્યું છે.


ચાલી રહી છે રાહત અને બચાવની કામગીરી    

થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. 7.8ની તીવ્રતા વાળાઆ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે મોટી સંખ્યામાં બિલ્ડીંગો ધરાશાયી થઈ હતી. અનેક લોકો કાઠમાળની નીચે ફસાઈ ગયા હતા. રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે. દબાયેલા લોકોને બહાર નીકાળવાની કામગરી સતત ચાલી રહ્યું છે. આ તારાજીને કારણે હજાર લોકો બેધર થઈ ગયા છે. 


53 લાખ જેટલા લોકો થઈ ગયા છે બેઘર 

આ વિનાશકારી ભૂકંપને લઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક આંકડો આપવામાં આવ્યો છે જેને લઈ ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાને કારણે 53 લાખ જેટલા લોકો બેઘર થઈ ગયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. યૂએન હાઈ કમિશ્નર ઓફ રિફ્યુજીના સીરિયાઈ પ્રતિનિધીએ જણાવ્યું કે સીરિયામાં ઓછામાં ઓછા 53 લાખ જેટલા લોકો આ ભૂકંપને કારણે બેઘર થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર એજન્સી દ્વારા રાહતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.     




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.