Loksabhaના વધુ 49 સાંસદોને કરાયા સસ્પેન્ડ, નિલંબિત થયેલા સાંસદોને આંકડો પહોંચ્યો 141 પર


  • Published By :
  • Published Date : 2023-12-19 14:33:38

સંસદમાં શિયાળા સત્રમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. સુરક્ષા ચૂક બાદ લોકસભામાં વિપક્ષી સાંસદો સતત હોબાળો કરી રહ્યા છે. હજી સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે પણ વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ નિલંબિત થયેલા સાસંદોનો આંકડો 141 પર પહોંચ્યો છે. 

49 સાંસદોને આજે કરાયા સસ્પેન્ડ

થોડા દિવસ પહેલા લોકસભામાં લોકો ઘૂસી આવ્યા હતા. તે બાદ વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગઈકાલે પણ 92 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વી વેન્થિલિંગમ, ગુરજીત સિંહ ઔજલા, સુપ્રિયા સુલે, સપ્તગિરી ઉલાકા, અદૂર પ્રકાશ, અબ્દુલ સમદ સમદાની, મનીષ તિવારી, પ્રદ્યુત બોરદોલોઈ, ગિરધારી યાદવ, ગીતા કોડા, ફ્રાન્સિસ્કો સાર્દિન્હા, જગત રક્ષમ, એસઆર પાર્થિવન, ફારૂક અબ્દુલ્લા, ગણેશ મુર્તિ, એ. , માલા રાય, વેલુસામી, એ ચાંદકુમાર, શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંદોપાધ્યાય, ડિમ્પલ યાદવ, હસનૈન મસૂદી સહિતના સાંસદોને સમાવેશ થાય છે.     


ચંદ્ર ગોસ્વામી, રવનીત બિટ્ટુ, દિનેશ યાદવ, કે સુધાકરણ, મોહમ્મદ સાદિક, એમકે વિષ્ણુ પ્રસાદ, પીપી મોહમ્મદ ફૈઝલ, સાજદા અહેમદ, જસવીર સિંહ ગિલ, મહાબલી સિંહ, અમોલ કોલ્હે, સુશીલ કુમાર રિંકુ, સુનીલ કુમાર સિંહ, એચટી હસન, એમ ધનુષ કુમાર, પ્રતિભા સિંહ, થોલ થોલમાવલમ, ચંદ્રેશ્વર પ્રસાદ, આલોક કુમાર સુમન, દિલેશ્વર કામતને મંગળવારે એટલે કે આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


141 સાંસદોને હજી સુધી કરાયા છે સસ્પેન્ડ

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા છે. ગૃહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી જવાબ આપે તેવી માગ કરી રહ્યા છે. અમિત શાહ આ મામલે જવાબ આપે તેવી માગ તે કરી રહ્યા છે. લોકસભામાં ખુરશીનું અપમાન કરવા બદલ આજે ફરી અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નામ સામેલ છે.કુલ 41 સાંસદોને આજે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના 8 સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 141 સાંસદોને સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 18 ડિસેમ્બર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.