ચીનની 40 ટકા વસ્તી થઈ જશે કોરોના સંક્રમણનો શિકાર!!! WHOએ ચીન પાસે માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-04 11:40:25

ચીનમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. એક અંદાજ પ્રમાણે લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં કોરોનાને કારણે મોતને ભેટી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આવનાર સમયમાં 40 ટકા જેટલી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. 


કોરોના સંક્રમણ પ્રતિદિન વધી રહ્યું છે  

કોરોના વાયરસને કારણે અનેક લોકો સંક્રમિત થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોની ચિંતામાં વધારો થયો છે. વિશ્વના અનેક દેશોએ ચીનથી આવતા લોકો માટે નિયમો જાહેર કરી દીધા છે. અનેક પ્રતિબંધો લાદી દીધા છે. ત્યારે કોરોના સંક્રમણ પર કાબુ નથી આવતો પરંતુ પ્રતિદિન આ સંક્રમણ સતત વધી રહ્યું છે. 


40 ટકા વસ્તી થઈ શકે છે કોરોના સંક્રમિત 

ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાની દહેશત સતત વધી રહી છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીનની 40 ટકા વસ્તી કોરોનાનો ભોગ બની જશે. છેલ્લા એક મહિનામાં કોરોનાની ઝપેટામાં અનેક લોકો આવી ગયા છે. 


વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પાસે મંગાવ્યા સંક્રમિતોના આંકડા 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ગંભીર બની છે. ચીન પર એવો આરોપ લગાવામાં આવી રહ્યો છે કે તે કોરોના સંક્રમિતોના આંકડા છૂપાવી રહ્યું છે. ઉપરાંત મૃતકોના આંકડા પણ છૂપાવે છે. ઉપરાંત ચીને દૈનિક કેસોનો આંકડો જાહેર કરવાનો પણ બંધ કરી દીધું છે. જેને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે અને ચીન પાસેથી વિસ્તૃત માહિતી આપવા માટે કહ્યું છે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માહિતી આપવા પણ કહ્યું છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.