પાલનપુર હાઈવે ફરી બન્યો જીવલેણ, દર્શન કરીને આવતા લોકોને ટેન્કરે અડફેટે લીધા 4ના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:31:35

બનાસકાંઠા પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર માલવ કટ નજીક ટેન્કર અને સ્વિફ્ટનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. 


કેવી રીતે બન્યો સમગ્ર બનાવ?

સ્વિફ્ટ કારમાં પરિવાર શારનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. માલવ નજીક સ્વિફ્ટ કાર અને ટેન્કરનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આબુ રીકો પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાતા લોકોએ ગાડી રસ્તા પરથી સાઈડમાં લઈ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા. સ્થાનિક લોકોના મત અનુસાર તમામ લોકો રાજસ્થાનના બાલીના હોવાનું સામે આવ્યું છે. બાલીથી તમામ લોકો શારનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને બાલી પરત જવા દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી.  




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.