પાલનપુર હાઈવે ફરી બન્યો જીવલેણ, દર્શન કરીને આવતા લોકોને ટેન્કરે અડફેટે લીધા 4ના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 21:31:35

બનાસકાંઠા પાલનપુર-ઉદયપુર નેશનલ હાઈવે પર માલવ કટ નજીક ટેન્કર અને સ્વિફ્ટનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા. 


કેવી રીતે બન્યો સમગ્ર બનાવ?

સ્વિફ્ટ કારમાં પરિવાર શારનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. માલવ નજીક સ્વિફ્ટ કાર અને ટેન્કરનો અકસ્માત સર્જાતા 4 લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આબુ રીકો પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાતા લોકોએ ગાડી રસ્તા પરથી સાઈડમાં લઈ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા. સ્થાનિક લોકોના મત અનુસાર તમામ લોકો રાજસ્થાનના બાલીના હોવાનું સામે આવ્યું છે. બાલીથી તમામ લોકો શારનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને બાલી પરત જવા દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી.  




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.