મોરબી દુર્ઘટનામાં ઓરેવાના 2 મેનેજર સહિત 4 જેલમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:22:12


મોરબીમાં જુલતા પુલની દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. ત્યારે પોલીસએ કોઈ પણ કંપનીનું નામે લખ્યા વગર મેનેજમેન્ટ કરતી કપની વિરૃદ્ધ ફરિયાડ નોંધી હતી અને  આ ફરિયાદ બાદ ઓરેવા કંપનીના બે મેનેજર દીપક પારેખ અને દિનેશ જોશીને જ્યારે દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર, મનસુખ ટોપિયા, માદેવ સોલંકી,અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી મનસુખ ટોપિયા, માદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને જેલમાં મોકલાયા છે. પોલીસ રિમાન્ડમાં રહેલા બંને કંપનીના મેનેજરના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરી વાર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતો .. 


બચાવ પક્ષે શું કરી દલીલ ?

બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે, પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દા રિપીટ થયા છે. પોલીસે જે દસ્તાવેજ માગવાની અને તપાસની વાત કરી છે તે સ૨કા૨ી કચેરીમાંથી મેળવવાના છે. તેમાં તેમના અસીલની હાજરી જરૂરી નથી. રિમાન્ડની માગણી બિનજરૂરી છે. બચાવ પક્ષના વકીલે અગાઉના હાઈકોર્ટના આદેશનો પણ રેફરન્સ આપી વધારાના રિમાન્ડની માગણી રદ કરાય તેવી માગણી કરી હતી. બંને પક્ષની દલીલોના અંતે મેજિસ્ટ્રેટે વધારાના રિમાન્ડની માગ નામંજૂર કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.