મોરબી દુર્ઘટનામાં ઓરેવાના 2 મેનેજર સહિત 4 જેલમાં !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 16:22:12


મોરબીમાં જુલતા પુલની દુર્ઘટનાએ 135 લોકોનો ભોગ લીધો હતો. ત્યારે પોલીસએ કોઈ પણ કંપનીનું નામે લખ્યા વગર મેનેજમેન્ટ કરતી કપની વિરૃદ્ધ ફરિયાડ નોંધી હતી અને  આ ફરિયાદ બાદ ઓરેવા કંપનીના બે મેનેજર દીપક પારેખ અને દિનેશ જોશીને જ્યારે દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પરમાર, પ્રકાશ પરમાર, મનસુખ ટોપિયા, માદેવ સોલંકી,અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી મનસુખ ટોપિયા, માદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને જેલમાં મોકલાયા છે. પોલીસ રિમાન્ડમાં રહેલા બંને કંપનીના મેનેજરના રિમાન્ડ પૂર્ણ થતા શનિવારે ફરી વાર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા હતો .. 


બચાવ પક્ષે શું કરી દલીલ ?

બચાવ પક્ષના વકીલે દલીલ કરી કે, પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દા રિપીટ થયા છે. પોલીસે જે દસ્તાવેજ માગવાની અને તપાસની વાત કરી છે તે સ૨કા૨ી કચેરીમાંથી મેળવવાના છે. તેમાં તેમના અસીલની હાજરી જરૂરી નથી. રિમાન્ડની માગણી બિનજરૂરી છે. બચાવ પક્ષના વકીલે અગાઉના હાઈકોર્ટના આદેશનો પણ રેફરન્સ આપી વધારાના રિમાન્ડની માગણી રદ કરાય તેવી માગણી કરી હતી. બંને પક્ષની દલીલોના અંતે મેજિસ્ટ્રેટે વધારાના રિમાન્ડની માગ નામંજૂર કરી હતી.



દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે

CBSE ગવર્નિંગ બોર્ડ બેઠકમાં ડમી શાળાઓ માટે નવા કડક નિયમો બનવામાં આવ્યા છે. જેમાં બોર્ડે નોંધ્યું છે કે જે વિધાર્થીઓ મેડીકલ કે એન્જિનિયરિંગ માટેની કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારીઓ માટે કરીને ડમી શાળાઓમાં એડમીશનની લે છે. બોર્ડે કોમ્પિટેટિવ પરીક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને ડમી ને બદલે ઓપેન સ્કૂલનો પર્યાય અપનાવવાની સલાહ.

ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.