ગુજરાતમાં કોરોનાના નોંધાયા 372 કેસ, અમદાવાદમાં સૌથી વધારે નોંધાયા કોરોના કેસ, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2023-04-01 19:54:38

ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.     


ક્યાં નોંધાયા કેટલા કેસ ?

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2000થી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં 372 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે પણ સૌથી વધારે કેસ નોંધાયા છે. 128 કોરોના કેસ માત્ર અમદાવાદથી નોંધાયા છે. અમરેલીથી 8 કેસ સામે આવ્યા છે, ખેડાથી 2 કેસ નોંધાયા છે. મહેસાણાથી 27 કેસ આવ્યા છે. મોરબીથી 29 કેસ, પંચમહાલથી એક કેસ સામે આવ્યો છે. કચ્છથી 8 કેસ નોંધાયા છે. બનાસકાંઠાથી 14 કેસ સામે આવ્યા છે. આણંદથી 7 કેસ સામે આવ્યો છે. ભરૂચથી 14 કેસ નોંધાયા હતા. ગાંધીનગર કોર્પોરેશનથી 3 અને ગાંધીનગરથી 5 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનથી 10 કેસ સામે આવ્યા છે જ્યારે સાબરકાંઠાથી 6 કેસ સામે આવ્યા છે. વડોદરાથી 11 કેસ સામે આવ્યા છે જ્યારે વડોદરા કોર્પોરેશનથી 23 કેસ સામે આવ્યા છે.


શું કહ્યું ઋષિકેશ પટેલે કોરોના કેસને લઈ? 

વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓ કોરોના સાથે જીવવું પડશે તેવું કહી રહ્યા છે. પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી. લોકોએ કોરોનાની સાથે રહેવાનું છે, ડરવાનું નથી પણ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિન અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. વેક્સિન અંગે નિવેદન આપતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે કોઈ વેક્સિન લેવા આવતું ન હતું. આપણે વેક્સિનના જથ્થાની માગણી કરી છે. કેન્દ્ર પાસેથી વેક્સિનની માગણી કરવામાં આવી છે. જેમ જેમ વેક્સિનનો ડોઝ આવતો રહેશે તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવશે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.