37000 સ્ત્રીઓ જ્યારે એકસાથે કૃષ્ણપ્રેમમાં લીન થઈ, મહારાસમાં ભાગ લેવા આવ્યા Poonamben maadam, Dwarka Ahirani Maharasની પરંપરા સમજો


  • Published By :
  • Published Date : 2023-12-25 14:36:24

આહિરાણીઓના આ રાસે આખા રાજ્યને આવી રીતે ગરબે ઘુમવા અને કૃષ્ણની ભક્તિમાં લીન થવા માટે મજબૂર કરી દીધા હોય. દેવભૂમિ દ્વારકાના એ દ્રશ્યો જ્યારે આપણે જોઈએ તો એવું જ થાય આ રાસને નિહાળતા જ રહીએ. એ દ્રશ્ય એટલો અદ્ભૂત હતું જ્યારે એક સાથે એક ગરબે 37 હજાર આહિરાણીઓ પારંપારિક પોષાકમાં મહારાસ કરી રહ્યા હતા. ગઈકાલે એ મહારાસમાં સાંસદ પૂનમ માડમ પણ જોડાયા હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન થયા હતા. એ દ્રશ્યો ખૂબ સુંદર હતા જેમાં પારંપરિક પોષકમાં સાંસદ ગરબે ઘૂમી રહ્યા હતા.  

આહિરાણીઓના ગરબે ઘૂમતા વીડિયો તો જોયા પરંતુ અનેક લોકો એવા હશે કે જેમને આ રાસ પાછળની વાર્તા નહીં ખબર હોય. 

ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી

સાતવિસુ સતીયું રમે આયરાણી

ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી

કે ગોપીરૂપે રાસ રમે આયરાણી


આ લોકગીતના ઉદ્દભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે, જે આ લોકકથામાં બીજા રંગ પણ ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. 

મનારાને એમ કે ઢોલી થાકે અને ઢોલીને એમ કે રમનારા થાકે  

ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલી આહીર આગેવાનો એવું કહે છે કે  "કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." અને લોકવાયકા કઈ પણ હોય કહાની કોઈ પણ હોય કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.