મહીસાગરમાં અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:55:35

મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આજે બપોરના સમયે બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું મોત થયું છે. અકસ્માત સર્જાતા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિવારમાં પતિ, પત્ની અને બાળકનું મોત થયું હતું. 


ભારતમાં અકસ્માતની ઘટનાઓની જાણે કે લાઈન લાગી છે. ગઈકાલે જ ધંધુકા-બગોદરા રોડ પર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. સુરત શહેરમાં ઓગસ્ટ માસમાં 352 જેટલા અકસ્માતો સર્જાયા હતા. ગત 15 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં અકસ્માત સર્જાતા પણ 7 જેટલા લોકોના મોત થયા હતા. આમ જ બેદરકારી રીતે વાહન ચલાવવાના કારણે અને સારા રસ્તા ન હોવાના કારણે અને સ્થાનિક વિસ્તારોમાં ખોટા વળાંકોના કારણે અકસ્માત સર્જાયો હતો. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.