સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 બાળકો બન્યા રખડતા શ્વાનનો શિકાર, રજૂઆત છતાંય નહીં કરાઈ કોઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-04 17:09:35

રાજ્યમાં રખડતા પશુ તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પશુ તેમજ શ્વાનને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે સુરતથી છેલ્લા 12 કલાકમાં એવા ત્રણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાનનો ભોગ માસુમ બાળકો બન્યા છે. શ્વાન દ્વારા 3 જેટલા બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે જેના સીસીટીવી સામે આવ્યા છે. શ્વાનના આતંકને લઈ અનેક ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.


12 કલાકમાં 3 બાળકો પર શ્વાને કર્યો હુમલો   

અનેક વખત શ્વાનના હુમલાને કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. માસુમ બાળકો તેમનો શિકાર થતા હોય છે. ત્યારે સુરતમાં છેલ્લા 12 કલાકમાં 3 કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં રખડતા શ્વાને 3 જેટલા બાળકો પર હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. 

 

ફરિયાદ છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી

આ ઘટના બની તેના થોડા સમય પહેલા આવી ઘટના બની હતી. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં એક સાત વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી ત્યારે સોસાયટીમાં રખડતા શ્વાને તેની પર હુમલો કરી દીધો હતો. બાળકીને છોડાવા ગયેલા દાદી પર પણ શ્વાને હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. બાળકીના મોઢાના ભાગ સહિત અનેક ભાગમાં શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.