29 વર્ષીય તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાનું મૃત્યુ.ચેન્નાઇ ખાતે એમના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળી આવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 10:28:24

દીપા તરીકે જાણીતી, 29 વર્ષીય તમિલ અભિનેત્રી, પૌલિન જેસિકા તેના ચેન્નાઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોયમ્બેડુ પોલીસે કેસ દાખલ કર્યો અને તેની ડાયરીમાંથી એક નોંધ પણ મળી.અભિનેતાના મિત્ર, પ્રભાકરન તેના પરિવારના કોલ્સનો જવાબ ન મળતાં તપાસ કરવા તેના એપાર્ટમેન્ટમાં ગયા હતા. તેણીને મૃત જણાતા તેના પરિવારને જાણ કરી અને પોલીસને પણ જાણ કરી.

ઇન્ડસ્ટ્રીની ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું અવસાન થયું છે. 'વૈધા' સાઉથની અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકા તેના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. અભિનેત્રીના પોતાના એપાર્ટમેન્ટમાં તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય અભિનેત્રીએ કથિત રીતે તેની લવ લાઇફમાં સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે.


પૌલિન જેસિકા એટલે કે દીપાની લાશ તેમના ઘરના એક રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી.તે ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં એકલી રહેતી હતી. પોલીસ તપાસમાં લાગેલી છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દીપાના માતા-પિતા તેને તેની મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. દીપા મિસ્કીન દ્વારા નિર્દેશિત હિટ ફિલ્મ 'થુપ્પરીવલન'માં પણ જોવા મળી હતી.


લોકો તમિલ અભિનેત્રી પૌલિન જેસિકાને પ્રેમથી દીપા કહીને બોલાવતા હતા અને તેને આ નામથી જ ઓળખ મળી હતી. રિપોર્ટ મુજબ તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. આ સમાચાર પછી સમગ્ર સિનેમા ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.