ફ્રાન્સમાં 4 દિવસ રોકાયા બાદ 276 ભારતીયો મુંબઈ પરત ફર્યા, CISFએ એરપોર્ટ પર કરી પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-12-26 18:22:38

માનવ તસ્કરીની આશંકાના પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું  276  ભારતીયોવાળું પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.  ફ્રાન્સમાં 4 દિવસ સુધી પ્લેન રોકવામા આવ્યા બાદ મુસાફરો મંગળવાર સવારે મુંબઈ આવ્યા હતા. આ લોકોએ 25 ડિસેમ્બરની સાંજે પેરિસ કે વાટ્રી એરપોર્ટથી ફ્લાઇટ ભરી હતી. આ પ્લેન મંગળવાર સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્રાન્સની એક કોર્ટના આદેશ બાદ ભારતીયોથી ભરેલા પ્લેનને મંજુરી આપવામાં આવી હતી. રવિવારે 4 જજોની બેન્ચે ક્રિસમસની રજાઓમાં પણ સુનાવણી કરતા અટકાયત હેઠળ રાખવામાં આવેલા પેસેન્જરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને ઉડાન માટે આદેશ આપ્યો હતો. 


CISFએ કરી પૂછપરછ 


મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 4:30 વાગ્યે આ ફ્લાઈટ દ્વારા 276 લોકો પરત ફરતા જ એરપોર્ટ પર પહોંચતા જ CISFએ તેમની પૂછપરછ કરી હતી. સાથે જ મીડિયાના સવાલોથી બચવા માટે ઘણા લોકો દોડતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે. આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારતમાં આવશે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા. જેના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગણી કરી હતી.


શા માટે ફ્લાઈટ રોકવામાં આવી? 


ફ્રાન્સે રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટને ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરી દીધી હતી. વાસ્તવમાં, 22 ડિસેમ્બરે 303 ભારતીયો સાથે દુબઈથી નિકારાગુઆ માટે ઉડેલું વિમાન ઈંધણ ભરવા માટે  વાટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઈટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.