ફ્રાન્સમાં 4 દિવસ રોકાયા બાદ 276 ભારતીયો મુંબઈ પરત ફર્યા, CISFએ એરપોર્ટ પર કરી પૂછપરછ


  • Published By :
  • Published Date : 2023-12-26 18:22:38

માનવ તસ્કરીની આશંકાના પગલે ફ્રાન્સમાં રોકવામાં આવેલું  276  ભારતીયોવાળું પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.  ફ્રાન્સમાં 4 દિવસ સુધી પ્લેન રોકવામા આવ્યા બાદ મુસાફરો મંગળવાર સવારે મુંબઈ આવ્યા હતા. આ લોકોએ 25 ડિસેમ્બરની સાંજે પેરિસ કે વાટ્રી એરપોર્ટથી ફ્લાઇટ ભરી હતી. આ પ્લેન મંગળવાર સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્રાન્સની એક કોર્ટના આદેશ બાદ ભારતીયોથી ભરેલા પ્લેનને મંજુરી આપવામાં આવી હતી. રવિવારે 4 જજોની બેન્ચે ક્રિસમસની રજાઓમાં પણ સુનાવણી કરતા અટકાયત હેઠળ રાખવામાં આવેલા પેસેન્જરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને ઉડાન માટે આદેશ આપ્યો હતો. 


CISFએ કરી પૂછપરછ 


મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 4:30 વાગ્યે આ ફ્લાઈટ દ્વારા 276 લોકો પરત ફરતા જ એરપોર્ટ પર પહોંચતા જ CISFએ તેમની પૂછપરછ કરી હતી. સાથે જ મીડિયાના સવાલોથી બચવા માટે ઘણા લોકો દોડતા જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે. આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારતમાં આવશે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા. જેના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં વિલંબ થયો હતો. આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગણી કરી હતી.


શા માટે ફ્લાઈટ રોકવામાં આવી? 


ફ્રાન્સે રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટને ચાર દિવસ માટે ગ્રાઉન્ડ કરી દીધી હતી. વાસ્તવમાં, 22 ડિસેમ્બરે 303 ભારતીયો સાથે દુબઈથી નિકારાગુઆ માટે ઉડેલું વિમાન ઈંધણ ભરવા માટે  વાટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઈટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.