26/11 Mumbai Attack: ભારતીય ક્રિકેટરોએ શહીદ પોલીસકર્મીઓને આપી શ્રધ્ધાંજલિ, ઈંગ્લેન્ડની ટીમને કેમ યાદ કરાઈ?


  • Published By :
  • Published Date : 2023-11-26 15:27:47

26/11 મુંબઈ, 2008 આ એ તારીખ છે જેને યાદ કરીને આજે પણ દરેક ભારતીયનો આત્મા કંપી જાય છે. આ દિવસને ભારતના ઈતિહાસનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આજે પણ મુંબઈના લોકો તે દિવસને યાદ કરે છે ત્યારે રૂંવાડા ઉભા થઈ જાય છે. મુંબઈ પરના આતંકવાદી હુમલાએ સૌને ચોંકાવી દીધા હતા. કેટલાક આતંકવાદીઓ દરિયા માર્ગે મુંબઈમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને બરાબર 15 વર્ષ થઈ ગયા છે.


 ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં સિરિઝ રમી રહી હતી 


લોકોને આજે પણ મને યાદ છે કે ઈંગ્લેન્ડ ભારતમાં શ્રેણી રમી રહ્યું હતું અને કેવિન પીટરસનની ટીમ આ આતંકવાદી ઘટનાથી હચમચી ગઈ હતી. કેવિન પીટરસનએ તેની આત્મકથામાં પણ આ વિશે લખ્યું છે, પરંતુ આપણે તેમની અને ઇંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરવી પડશે, જેણે ભારતમાં વિશ્વાસ જાળવી રાખ્યો અને થોડા સમય પછી પરત આવી અને બાકીની મેચો રમી હતી. આજે ભારતીય ક્રિકેટરોએ આતંકવાદી ઘટનાને યાદ કરી શહીદ થયેલા પોલીસકર્મીઓને સેલ્યૂટ કર્યું હતું.


15 દિવસ પહેલા ઈંગ્લેન્ડની ટીમ તાજ હોટલમાં રોકાઈ હતી


જ્યારે મુંબઈમાં 26/11નો હુમલો થયો ત્યારે કેવિન પીટરસનની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે હતી.  ઈંગ્લેન્ડની  ટીમ આતંકવાદી હુમલા પહેલા 15 દિવસ સુધી તાજ હોટલમાં રોકાઈ હતી. આ ઉપરાંત કેવિન પીટરસન વન ડે સીરીઝ બાદ ફરી એકવાર મુંબઈના તાજ પેલેસમાં રોકાવાનો હતો. કેવિન પીટરસને પોતે પોતાના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જોકે હુમલા બાદ ઈંગ્લેન્ડની ટીમ સ્વદેશ પરત ફરી હતી. પરંતુ બધુ નિયંત્રણમાં આવ્યા બાદ તે ફરી એકવાર ટેસ્ટ સિરીઝ રમવા ભારત આવી હતી. આજે પણ મહાન સુનીલ ગાવસ્કર એ નિર્ણય માટે ઈંગ્લેન્ડની ટીમના વખાણ કરે છે.


26/11ના રોજ ભારતીય ક્રિકેટરોની પ્રતિક્રિયા


હરભજન સિંહ


ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે એકવાર કહ્યું હતું કે, '26/11ના મુંબઈ હુમલાની વરસી પર પ્રતિબદ્ધતા અને બહાદુરીની અદમ્ય ભાવનાનું સન્માન! આપણી અને માતૃભૂમિની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર નાયકોને હું સલામ અને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની હિંમત આપણને પ્રેરિત કરે છે અને એક કરે છે. 



ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે કહ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનારા લોકો હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે. સચિને કહ્યું, '26/11ને મુંબઈ અને ભારતના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. હુમલામાં જીવ ગુમાવનારા લોકો અને પ્રિયજનો હંમેશા અમારી પ્રાર્થનામાં રહેશે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ખરાબ સમયમાં લડનારા તમામ લોકો માટે મને ખૂબ પ્રેમ અને આદર છે. ભલે આપણે તેમનો કેટલો પણ આભાર માનીએ, તે ક્યારેય પૂરતું નથી.



દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે કહ્યું, 'આજથી 15 વર્ષ પહેલા આજના દિવસે થયા એક ભયાવહ આતંકવાદી હુમલાએ આપણને હચમચાવી દીધા હતા. ભારત માતાના મહાન પુત્રોમાંના એક, વીર શહીદ તુકારામ ઓમ્બલેએ કસાબને જીવતો પકડવા માટે અનુકરણીય હિંમત અને નિઃસ્વાર્થતા દર્શાવી હતી. આવા મહાન માણસ પર ગર્વ છે.



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.