સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ખોલાશે 25 ઈલેક્ટ્રિક સ્ટેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:27:57

દેશ જેમ જેમ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ પ્રદુષણનું સ્તર પણ વધી રહ્યું છે. હાલ સૌથી મોટો પ્રશ્ન પ્રદુષણનો બની રહ્યો છે. પ્રદુષણનો સ્તર ઓછો થાય તે માટે ઈલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે સુરત શહેરને આગામી સમયે ઈલેક્ટ્રિક વાહનોનું શહેર તરીકે ઓળખવામાં આવશે.  

Electric two-wheeler: How Indian two-wheeler market will pan out with  electrification of upto 150cc?, Auto News, ET Auto

ઈલેક્ટ્રિક વાહનોને ખરીદવા કરાયા પ્રોત્સાહિત  

ગુજરાતમાં પહેલા પણ વાયુ પ્રદુષણને ઘટાડવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી વાયુ પ્રદર્શન પણ ઘટશે. સુરત મહાનગર પાલિકાએ થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રિક વાહનોને લઈ પોલિસી જાહેર કરી હતી. જેમાં અનેક સુવિધાઓ આપવાની વાત કરી હતી. ઈલેક્ટ્રિલ વાહનોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન ચાલકને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સ્થળો પર ચાર્જિગ પોઈન્ટ બનાવવામાં આવશે. આગામી સમયમાં દરેક ઝોનમાં ઓછામાં ઓછા 50 ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવશે. 16 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો હાલ સુરતમાં દોડી રહ્યા છે. 

Top 20 electric vehicle charging station companies

ઈલેક્ટ્રિક વાહનોને કારણે ઘટશે વાયુ પ્રદુષણ 

રસ્તા પર અનેક ઈલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. જો વધુ વાહનો વધશે તો વધારે ચાર્જિંગ પોઈન્ટ બનાવામાં આવશે. 25 જેટલા સ્થળો પર હાલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. સરકારી ગ્રાન્ટની સહાયથી 200 અને 300 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે અને જેનો રેટ 14 રુપિયા આસપાસ રાખવામાં આવ્યો છે. જો રસ્તા પર વધારે ઈલેક્ટ્રિક વાહનો દોડશે તો પ્રદુર્ષણનો દર પણ ઘટી શકે છે. ક્વોલિટી ઈન્ડેઝમાં પણ સુધારો થઈ શકે છે.   



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે