જામનગરની પ્રખ્યાત સૂકી કચોરીના વેપારી 24 વર્ષીય સુમિત પઢીયારનું હાર્ટ એટેકથી નિધન


  • Published By :
  • Published Date : 2023-11-29 22:54:12

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. આબાલવૃધ્ધ સૌ કોઈ હાર્ટએટેકની ઝપેટમાં આવી રહ્યા છે. સૌથી મોટી દુ:ખની બાબતો એ છે કે હ્ર્દયરોગ નવલોહિયા યુવાનોને પણ ભરખી રહ્યા છે. દરરોજ હાર્ટએટેકથી મોતના સમાચારો આવતા રહે છે. આજે જામનગરના જાણીતા જૈન વિજય ફરસાણના યુવાન વેપારીનું આંચકી આવ્યા બાદ નિધન થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં તેમના મોત પાછળ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સુમિત પઢીયારના મોતથી શોકનો માહોલ 


જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24) આજે પોતાની પેઢી પર હાજર હતા. તે સમયે જ તેમને અચાનક જ આંચકી શરૂ થઈ ગઈ અને પછી ઢળી પડ્યા હતા. જેથી પેઢીમાં હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુમિત પઢીયાર મોતને ભેટ્યા હતા.સુમિત પઢીયારના અચાનક અવસાનથી વેપારી આલમમાં પણ શોક જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકના કારણે સુમિત પઢીયારનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.


શહેરમાં હાર્ટ એટેકથી મોત વધ્યા


જામનગરમાં પણ હાર્ટએટેકથી મોતની સંખ્યા વધી રહી છે. થોડાસમય પહેલા જ જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની તબિયત અચાનક બગડી જતા મોત નીપજ્યુ હતું. પરિવારજનોનો દાવો છે કે, દીકરો યોગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો હતો. તે જ પ્રકારે જામનગર શહેરમાં 24 વર્ષના યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે મોત નિપજયું હતું.  સેના નગર વિસ્તારમાં રહેતા માત્ર 24 વર્ષના યુવાનને તાવ શરદી સંબંધી તકલીફ થયા પછી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેનું એકાએક હૃદય રોગનું હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું. 24 વર્ષીય યુવાન રવિ લુણા એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.