21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ..એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી..


  • Published By : Hetal Gadhvi
  • Published Date : 2025-02-20 18:37:14

આજે 20 ફેબ્રુઆરી છે એટલે આવતી કાલે થશે 21 ફેબ્રુઆરી...

તમને થશે આ બેન કેમ આવી નાના છોકરા જેવી વાત કરે છે, સારુ ઠીક છે ચલો કે તમને કાલે 21 ફેબ્રુઆરી છે એવી ખબર છે પણ દર વર્ષે એ 21 ફેબ્રુઆરીએ શું હોય છે એની બહુ ઓછા લોકોને ખબર હશે, જી હાં તો એ 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...એ માતૃભાષા કે જેમાં કાલીઘેલી વાતો કરીને તમે તમારુ નાનપણ વિતાવ્યુ છે, એ માતૃભાષા કે જેમાં બા-દાદા પાસેથી નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી અને એ માતૃભાષા કે જેમાં તમારી લાગણીઓ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય. 

આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે. આવો જ પ્રેમ દર્શાવવા આવતી કાલે ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિશ્વ માતૃભાષા દિવસની એક વિશેષ ઉજવણી થઈ રહી છે. 

આ કાર્યક્રમનું શિર્ષક છે, "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર" ગુજરાતી ભાષાનાં એવા રસિકો અને સાહિત્યકારો કે જેઓ શારીરિક રીતે અક્ષમ છે તેમને સમર્પિત આ કાર્યક્રમ છે. 

પંડિત સુખલાલજી


કાર્યક્રમમાં 10 અક્ષમિત ભાષાપ્રેમીઓ કવિતાઓ વાંચશે અને વાર્તાઓ કહેશે અને તેમની સાથે ગુજરાતી ભાષાનાં બે ઉત્તમ સર્જકો રઘુવીર ચૌધરી તથા યોગેશ જોશી પણ કવિતાઓ વાંચશે.


કાર્યક્રમ: "પંડિત સુખલાલજીનાં તત્વદર્શનથી વજેસિંગ વિપાશાની કવિતા સુધીની સંવેદન સફર"


સ્થળ અને સમય: 21/2/2025 સાંજે 5 વાગ્યે રા.વિ.પાઠક સભાગૃહ

 


પ્રિય માતૃભાષા,

તારા શબ્દોમાં જે સાર મળે ...

બોલતાંની સાથે જે પ્રતિસાદ મળે...

તારા સ્વરથી જે સંગીત સર્જાય...

હૃદયમાં એક ઉમંગ અનુભવાય....

વિસરે ભલે બીજું બધુંય

છતાં માતૃભાષા ના વિસરાય...

તારી ભાષાનો જો મર્મ સમજાય ...

જે અભિવ્યક્તિ તુજ થકી કરું 

જે વાંચન તુજમાં કરું...

મારી માતૃભાષા તુજને હું વંદન કરું.

                                           ~પૂર્વી પુજારા




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે