આપના ઉમેદવારની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા ઉઠ્યા અનેક પ્રશ્ન, ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલે તપાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 10:20:23

વિધાનસભા ચૂંટણીને લઈ પ્રતિદિન ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોઈને કોઈ નવો વળાંક સામે આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત વિવાદમાં ઘેરાઈ રહી છે. હજી તો ગોપાલ ઈટાલિયાના વિડીયોનો મામલો શાંત નથી પડ્યો ત્યારે બીજો એક વિવાદ છેડાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાંથી 20 લાખની ચોરી થતા અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે કે આ પૈસા ક્યાંથી આવ્યા છે. જેને લઈ રાજકારણ ફરી ગરમાયું છે.   

ઈન્કમ ટેક્ષ વિભાગ કરશે આ મામલાની તપાસ

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બારડોલીમાં ગાડીના કાચ તોડી, ગાડીમાં રહેલી બેગની ચોરી કરવામાં આવી હતી. બેગ લઈને ફરાર થયેલા બાઈક સવાર શખ્સોને રોકવા એક વ્યક્તિએ તેમનો પીછો કર્યો. તેમનો પીછો થતાં બાઈક ચાલકોએ પૈસાથી ભરેલું બેગ રસ્તા પર ફેંકી દીધું હતું. બેગ ફેંકી દેતા પીછો કરનાર શખ્સે બેગને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવી દીધું હતું. તપાસ કરાતા આ ગાડી આપના ઉમેદવારની હતી તેવું સામે આવ્યું હતું. રાજેન્દ્ર સોલંકીએ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરાવી હતી 20 લાખ જેટલી રકમ મળી આવતા ઈન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. અને હવે આ ઈન્કમ ટેક્ષ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે ચર્ચાઓ મુજબ ચૂંટણીમાં આ પૈસાનો ઉપયોગ કરી શકાય તે માટે દિલ્હીથી આ નાણાં મોકલવામાં આવ્યા હતા..


વધી શકે છે આપની રાજેન્દ્ર સોલંકીની મુશ્કેલીઓ 

20 લાખ રૂપિયા પરત મળતા રાજેન્દ્ર સોલંકીની ચિંતામાં ઘટાડો થયો હતો. પરંતુ આ મામલે હવે ઈન્કમ ટેક્ષ વિભાગ તપાસ કરી રહી છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેનો કોઈ જવાબ નહીં મળે તો રાજેન્દ્ર સોલંકીની તેમજ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. 

સી. આર. પાટીલની રેલીમાં ગરબે રમનાર ભાજપના ધારાસભ્યને કોરોના, લોકોએ શું  કહ્યું? - BBC News ગુજરાતી

હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા 

આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે જે ઉમેદવારે છેલ્લા અનેક વર્ષથી ભરતા. અને 20 લાખ રૂપિયા દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યાલયથી અહીં આવે. પૈસાને લઈ સવાલ ઉમેદવારોને કરવો જોઈે તેવી વાત તેમણે કરી હતી.




ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે