સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા 2 શ્રમિકોના મોત, એક સારવાર હેઠળ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:08:39

Story by Samir Parmar

સુરત શહેરના પીપલોદના SVNIT વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો ગૂંગળાઈ જવાની ઘટના સામે આવી છે. ત્રણમાંથી બે શ્રમિકોના ગૂંગળાઈ જતાં મોત થયા છે. ગટરમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાનની આ ઘટના છે. ત્રણેયને ગૂંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બે લોકોના નિધન થયાની પુષ્ટિ કરી હતી જ્યારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. 


કાલે કોઈ બીજો મરશે... પણ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે

ગુજરાત સહિત દેશમાં આવી ઘટનાઓ અવાર-નવાર ઘટતી રહે છે. આજની આ ઘટના આપણા માટે નવી નથી. બે દિવસ સમાચાર ચાલશે પણ સમાધાન કંઈ નહીં આવે. સમસ્યા ત્યાંની ત્યાં જ રહેશે. આ સમસ્યાના કારણે કાલે કોઈ નવા વ્યક્તિનું ગૂંગળાઈને મોત થશે. ગટર સાફ કરતા લોકો તો મરતા જ રહે છે. તેમને કોઈ સુરક્ષા માટેના સાધનો નથી આપવામાં આવતા, સુરક્ષાના સાધનો વગર કૂદકો મરાવીને મોતના મોઢામાં ઉતારી દેવામાં આવે છે. જેના પરિણામે આવી ઘટનાઓ ઘટે છે. આ લોકો રોજનું કરીને ખાવાવાળા લોકો છે. તેમના પરિવારના લોકોનું શું? આ શ્રમિકોનું માર્ગ અકસ્માત થયું હોત તો વાત અલગ હતી પણ તંત્રની બેદરકારીના ભોગથી મોતને ભેટ્યાં છે. નેતાઓના બંગલા બની જાય છે, રાજકીય પક્ષોના ભવ્ય કાર્યાલયો ઉભા થઈ જાય છે પણ હદ કહેવાય કે સમસ્યાઓ તો ત્યાંની ત્યાં જ રહી જાય છે. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.