ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કફ સિરપ પીધા પછી થયા મોત, ભારતની ફાર્મા કંપની પર લાગ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-29 11:39:19

ઉઝબેકિસ્તાનમાં પણ ગાંબિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 18 બાળકોના મોત થઈ ગયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે ભારતની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે 18 બાળકોના મોત થયા છે. આ અગાઉ ગાંબિયા દ્વારા પણ આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારતની ફાર્માસ્યુટિક્લ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 66 બાળકોના મોત થયા છે. 


ભારતની ફાર્મા કંપની પર લગાવ્યો આરોપ  

કફ સિરપ પીવાને કારણે અનેક બાળકોના મોત થઈ રહ્યા છે તેવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાંજીયામાં ભારતની ફાર્મા કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કરતા 66 બાળકોની મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આવી જ એક ઘટના ઉઝ્બેકિસ્તાનમાં બની છે. ઉઝ્બેકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ફાર્મા કંપની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કર્યા બાદ બાળકોના મોત થયા છે. 


WHOએ આપી સહયોગ કરવાની ખાતરી 

આવી ઘટના બનવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉજ્બેકિસ્તાનને ખાતરી આપી છે કે તે ઉજ્બેકિસ્તાનની મદદ કરશે. ઉપરાંત આ ઘટનાને લઈ તપાસ પણ કરાવશે તેવી ખાતરી WHOએ આપી છે.     




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.