Bhavnagarમાં 17 વર્ષીય કિશોરનું થયું Heart Attackને કારણે મોત, યુવાનોમાં વધતા હાર્ટ એટેકે વધારી સરકારની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-10-26 18:16:13

હાર્ટ એટેકના કિસ્સાઓ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. નવરાત્રીમાં જ 36 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. રોજે સમાચાર હાર્ટ એટેકના સામે આવી રહ્યા છે. આજે પણ એવા જ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોતના કિસ્સાઓ નોંધાયા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થાય છે. ભાવનગરમાં 17 વર્ષના કિશોરને હાર્ટ એટેક આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત થવા એ એક ચિંતાનો વિષય છે. ન માત્ર ભાવનગરમાં પરંતુ અનેક  જગ્યાઓથી પર આવા કિસ્સાઓ બન્યા છે.   

One more youth died of heart attack, 17-year-old boy in Bhavnagar died of cardiac arrest while sleeping Heart Attack: હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ, ભાવનગરમાં 17 વર્ષના યુવક ઊંઘમાં જ હૃદય થયું બંધ

17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

નવરાત્રી દરમિયાન અને તેની પહેલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રાજકોટમાં પણ 45 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રામ પાર્કમાં રહેતા મનીષ રાખોલીયા રાત્રે સૂઈ ગયા પરંતુ તે સવારે ઉઠ્યા નહીં. ઉંઘમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ખેડાના વતની અને વડોદરામાં રહેતા મિનેશ જેઠવા નામના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તેઓ 47 વર્ષના હતા. મળતી માહિતી અનુસાર તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેમના પરિવારજન તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. 

A 47-year-old man died of a heart attack in Patan Heart Attack: ડાકોરમાં હાર્ટ અટેકે વધુ એક ધબકારને થંભાવી, અચાનક બેભાન થઇ ગયા બાદ થયું મોત

due to heart attack 45 year old man did in rajkot Heart Attack: રાજકોટમાં વધુ એક હૃદય ધબકાર ચૂકી ગયું, હાર્ટ અટેકથી 45 વર્ષની વયે ગુમાવી જિંદગી

નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળરૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પણ ગરબા કરતા કરતા લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા છે. ત્યારે આજે પણ અનેક લોકોના મોત હૃહય હુમલાને કારણે થયા છે. તે પહેલા પણ હાર્ટ એટેકના કિસ્સાઓ અંગે આપણે વાંચ્યું છે અને સાંભળ્યું છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા ગરબા કરતા મોતને વ્હાલું થઈ રહ્યું છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ કસરત કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ જામનગરથી આવા સમાચાર સામે આવ્યા હતા. તેની પહેલા પણ આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. 


વધતા હાર્ટ એટેકનું કારણ જાણવા સરકારે કમિટીની કરી રચના

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ગંભીરતાથી લેવામાં આવે તે માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તે બાદ કોરોના વેક્સિનને લઈ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને તપાસ કરવા વિનંતી કરી હતી. ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. હાર્ટ એટેકના કારણોને જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટીની રચના કરી છે. યુ.એન.મહેતાના ચિરાગ દોષીની અધ્યક્ષતામાં આ અંગે તપાસ થશે. મળતી માહિતી અનુસાર આ કમિટીમાં જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે, તેમજ પૂજાબેનને સામેલ કરવામાં આવ્યા છે, ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!