પુણે-નાસિક હાઇવે પર SUV ગાડીએ 17 મહિલાઓને મારી ટક્કર, ઘટનામાં થયા પાંચ મહિલાઓના મોત


  • Published By :
  • Published Date : 2023-02-14 12:01:03

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર સોમવાર રાત્રે એવી ઘટના બની જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને અડફેટે લઈ લીધી. આ અકસ્માતને પગલે 5 મહિલાઓના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા જ્યારે બાકી મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પુણેથી 50 કિલોમીટર દૂર આવેલા શિરોલી ગામમાં બની હતી. 


ઘટનામાં થયા 5 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે. હાઈવે પર અકસ્માતો મુખ્યત્વે થતા હોય છે. ત્યારે સોમવાર રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસયુવી કારે 17 મહિલાઓને લપેટામાં લઈ લીધી હતી. આ ઘટનામાં પાંચ મહિલાના મોત થયા છે. આ ઘટનાની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે મહિલાના ઘટના સ્થળ પર મોત થયા છે જ્યારે 3 મહિલાઓના મોત સારવાર દરમિયાન થયા છે. આરોપી વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે.   


એસયુવીએ મહિલાઓને મારી ટક્કર 

મળતી માહિતી અનુસાર આ બધી મહિલાઓ કામ પરથી પરત આવી રહી હતી. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યે બની હતી. પોતાનું કામ કરી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન ખરપુડી ફાટા પર ઉતરી હતી. આ સમય દરમિયાન રસ્તા ક્રોસ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુણેથી આવી રહેલી એસયુવીએ મહિલાને જોરદાર ટક્કર મારી હતી.   




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .