અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રસ્તાઓ ગુંજી ઉઠ્યા જય જગન્નાથના નાદથી


  • Published By :
  • Published Date : 2023-06-20 08:41:26

અષાઢી બીજના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભક્તોને દર્શન આપવા ભગવાન સામે ચાલીને આવે છે. પૂરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા છે. તે બાદ બીજા નંબરે અમદાવાદમાં નીકળતી રથયાત્રા આવે છે. રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય જગન્નાથના નારાથી મંદિર તેમજ અમદાવાદના રસ્તાઓ ગુંજી ઉઠ્તા હોય છે.

 


ગજરાજ કરે છે રથયાત્રાની આગેવાની 

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળી રહી છે. પોતાની બહેન તેમજ ભાઈ સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે. તે બાદ ભજન મંડળી, ટ્રક તેમજ અખાડાઓ આપણું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે.  આજની આ રથયાત્રામાં 18 જેટલા શણગારેલા ગજરાજો છે, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 જેટલી ટ્રકો છે. 30 જેટલા અખાડા છે, 18 જેટલી ભજન મંડળીઓ ભગવાનના ગુણગાશે, 1200 જેટલા ખલાસીઓ ભગવાનના રથને ખેંચે છે. 


નવનિર્મિત રથમાં સવાર થઈ ભગવાન નીકળ્યા નગરચર્યાએ

તે સિવાય 2000 જેટલા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયેલા છે. 30 હજાર કિલો જેટલા મગ, 500 કિલો જેટલા જાંબુ, 400 કિલો જેટલી કાકડી તેમજ દાડમના પ્રસાદને ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે. અનેક વર્ષો બાદ ભગવાન નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ભાઈ બલરામ તાલધ્વજ નામના રથમાં બિરાજ્યા છે. બહેન સુભદ્રા દેવદલન નામના રથમાં બિરાજ્યા છે જ્યારે ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથ પર આરૂઢ થઈ નગરચર્યાએ નીકળ્યા છે.    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!