અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રસ્તાઓ ગુંજી ઉઠ્યા જય જગન્નાથના નાદથી


  • Published By :
  • Published Date : 2023-06-20 08:41:26

અષાઢી બીજના દિવસે દેશના અનેક રાજ્યોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભક્તોને દર્શન આપવા ભગવાન સામે ચાલીને આવે છે. પૂરીમાં નીકળતી જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા છે. તે બાદ બીજા નંબરે અમદાવાદમાં નીકળતી રથયાત્રા આવે છે. રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, જય જગન્નાથના નારાથી મંદિર તેમજ અમદાવાદના રસ્તાઓ ગુંજી ઉઠ્તા હોય છે.

 


ગજરાજ કરે છે રથયાત્રાની આગેવાની 

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળી રહી છે. પોતાની બહેન તેમજ ભાઈ સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે. તે બાદ ભજન મંડળી, ટ્રક તેમજ અખાડાઓ આપણું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે.  આજની આ રથયાત્રામાં 18 જેટલા શણગારેલા ગજરાજો છે, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 જેટલી ટ્રકો છે. 30 જેટલા અખાડા છે, 18 જેટલી ભજન મંડળીઓ ભગવાનના ગુણગાશે, 1200 જેટલા ખલાસીઓ ભગવાનના રથને ખેંચે છે. 


નવનિર્મિત રથમાં સવાર થઈ ભગવાન નીકળ્યા નગરચર્યાએ

તે સિવાય 2000 જેટલા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયેલા છે. 30 હજાર કિલો જેટલા મગ, 500 કિલો જેટલા જાંબુ, 400 કિલો જેટલી કાકડી તેમજ દાડમના પ્રસાદને ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે. અનેક વર્ષો બાદ ભગવાન નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ભાઈ બલરામ તાલધ્વજ નામના રથમાં બિરાજ્યા છે. બહેન સુભદ્રા દેવદલન નામના રથમાં બિરાજ્યા છે જ્યારે ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથ પર આરૂઢ થઈ નગરચર્યાએ નીકળ્યા છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.