સાઉથ આફ્રિકાથી ભારત પહોંચ્યા 12 ચિત્તાઓ, કુનો નેશનલ પાર્ક બનશે ચિત્તાઓનું ઘર


  • Published By :
  • Published Date : 2023-02-18 14:24:57

આફ્રિકન ચિત્તાનું  બીજું કેન્સાઈનમેન્ટ આજે એટલે 18 ફેબ્રુઆરીએ ભારત આવી પહોચ્યું છે.દક્ષિણ આફ્રિકાથી આવેલા આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. પાંચ મહિના પહેલા આઠ ચિત્તા ભારત આવ્યા હતા ત્યારે ફરી એક વખત 12 ચિત્તાઓ ભારત આવી પહોચ્યા છે.

    

ભારત આવી પહોંચ્યા 12 ચિત્તાઓ  

દક્ષિણ આફ્રિકાથી આવેલા 12 ચિત્તાઓ મધ્યપ્રદેશ પહોંચી ગયા છે. ભારતીય વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટમાં ચિત્તાઓને લવાયા હતા. ભારતમાં ચિત્તાઓને પુનસ્થાપિત કરવા માટેના આંતર સરકારી કરારના ભાગરૂપે શુક્રવારે ભારત આવવા માટે રવાના થઈ ગયા હતા. આ ચિત્તાઓને નામીહિયાના આઠ ચિત્તાઓ સાથે રાખવામાં આવશે. ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે ટ્વિટ કરી કહ્યું હતું કે 12 ચિત્તાઓએ ભારતની યાત્રા શરૂ કરી છે. તે શનિવાર સુધીમાં પહોંચી જશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા તેમને નેશનલ પાર્કમાં છોડવામાં આવશે.

     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.