Bilkis Bano Caseના 11 દોષિતોએ ગોધરા સબ જેલમાં કર્યું આત્મસમર્પણ, Supreme Courtએ આપ્યો હતો સમય, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-01-22 09:22:42

બિલકિસ બાનો કેસ મામલે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને આપવામાં આવેલી રાહતને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી અને સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો. 21 જાન્યુઆરી સુધીનો સમય 11 દોષિતોને આપવામાં આવ્યો હતો કે સરેન્ડર કરવા ત્યારે ગોધરા સબ જેલમાં સરેન્ડર કર્યું છે. 11 દોષિતો 11:30 વાગ્યે સિંગવડ રંધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને તેમણે સરેન્ડર કર્યું હતું. 

દોષિતોએ ગોધરા પોલીસ સ્ટેશન ખાતે કર્યું આત્મસમર્પણ 

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા બિલકિસ બાનો કેસને લઈ એક મહત્વનો નિર્ણય લીધો હતો. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દોષિઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિને રદ્દ કરી દીધી હતી અને 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો સરેન્ડર કરવા માટે. ત્યારે ગઈકાલ રાત્રે ગોધરા સબ જેલમાં તમામ 11 દોષિઓએ સરેન્ડર કર્યું છે. મહત્વનું છે કે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે સરેન્ડર કરવાનો સમય વધારવામાં આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો જેને કારણે ગઈકાલ રાત્રે દોષિઓએ સરેન્ડર કર્યું હતું.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક  શબ્દોમાં કહી આ વાત


અરજી ફગાવતા શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

જ્યારે સરેન્ડર કરવાની મુદ્દતને વધારવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે તે અરજીને ફગાવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 


21 જાન્યુઆરી સુધી આત્મસમર્પણ કરવાનો આપ્યો હતો સમય 

8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા. મહત્વનું છે કે સમય મર્યાદા પૂર્ણ થતાં દોષિતોએ સરેન્ડર કર્યું છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!