રાજ્યમાં દિવાળીના દિવસો દરમિયાન 108ને આવ્યા 359 કોલ


  • Published By :
  • Published Date : 2022-10-25 17:20:47

દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો દાઝવાના, અકસ્માત તેમજ આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ઉપરાંત ફટાકડાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે. જેને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની સંખ્યમાં વધારો થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન 359 કોલ આવ્યા છે. એમાંથી 34 કોલ દાઝવાના આવ્યા હતા જ્યારે 25 જેટલા ફોન કોલ પડી જવાના આવ્યા હતા. 

દિવાળીમાં ગુજરાતીઓની સેવામાં હાજર છે 108 એમ્બ્યુલન્સ, દુર્ઘટનાઓને પહોંચી  વળવા બનાવ્યો એક્શન પ્લાન | Gujarat News in Gujarati

દિવાળીના દિવસે અનેક લોકો સાથે બની દુર્ઘટના

એક તરફ જ્યારે બધા લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હોય છે ત્યારે એમ્બ્યુલન્સમાં કર્મીઓ ફરજ બજાવતા હોય છે. ખડેપગે પોતાની ફરજ બજાવતા આ લોકો વાસ્તવમાં સેવા કરી રહ્યા છે. દિવાળીના સમયે દાઝી જવાના તેમજ આગ લાગવાની ઘટના બનતી હોય છે. તહેવારને લઈ 50 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.મળતી માહતી મુજબ ગયા વર્ષે દિવાળી દિવસે 4138, બેસતા વર્ષના દિવસે 4740 તેમજ ભાઈબીજના દિવસે 4600 જેટલા કોલ આવ્યા હતા. ત્યારે આ વર્ષે ઈમરજન્સી કોલની સંખ્યામાં વધારો થઈ શકે છે. શિફ્ટ મુજબ કોલ સેન્ટર પર 250 જેટલા કર્મચારીઓ કામ કરશે. તમામ ફોન કોલનો જવાબ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.