ભારત જોડો યાત્રાને પૂર્ણ થયા 100 દિવસ


  • Published By :
  • Published Date : 2022-12-16 17:08:54

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આજે તેમની આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આ યાત્રા ભારતના અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. હાલ આ યાત્રા રાજસ્તાન પહોંચી છે. રાજસ્તાન પહોંચેલી આ યાત્રાને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જયપુરમાં અમારી આ યાત્રાને સારૂ સમર્થન મળી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લાખો કરોડો લોકોના દિલમાં વસે છે. એવું કહેવું એકદમ ખોટુ હશે કે કોંગ્રેસ પાર્ટી ખત્મ થઈ ગઈ છે. કોંગ્રેસ જ ભાજપ વિરૂદ્ધ લડે છે અને આવનાર સમયમાં કોંગ્રેસ જ ભાજપને હરાવશે.   

  

કોંગ્રેસ એક વિચારધારા છે - રાહુલ ગાંધી

રાજસ્તાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીનના વિચારો પર ચાલતી પાર્ટી છે. લોકો બોલવા માગે છે તો અમે સાંભળી લઈએ છીએ. જો કોઈ અનુશાસન તૂટે છે તો અમે કાર્યવાહી કરીએ છીએ. કોંગ્રેસ એક વિચારધારા છે અને મોટી પાર્ટીમાં વિવાદો ચાલતા રહે છે. 2023માં રાજસ્તાનમાં વિધાનસભાની ચૂંટણી યોજોવાની છે. ત્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ રાહુલ ગાંંધીએ વ્યક્ત કર્યો છે. જ્યારે મુખ્યમંત્રીના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કીધું કે આ પ્રશ્ન મલ્લિકાર્જૂન ખડગેને કરવો જોઈએ કારણ કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. તે આનો જવાબ આપી શકે છે.     




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.