કંબોડિયાની હોટલમાં બની આગની દુર્ઘટના, 10 લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-29 12:57:57

કંબોડિયાની એક હોટલમાં ભીષણ આગ લાગી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર 50 જેટલા લોકો આ આગને કારણે હોટલમાં ફસાયેલા હતા. 

कंबोडिया के एक होटल में आग का दृश्य।


10 લોકો આગને કારણે મોતને ભેટ્યા

આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. કંબોડિયાના પોઈપેટમાં સ્થિત એક હોટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગને કારણે 10 જેટલા લોકોના મોતને ભેટ્યા છે. આગથી બચવા લોકો પાંચમાં માળેથી કુદતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ આગમાં 50 જેટલા લોકો હોટલની અંદર ફસાયેલા છે. આ આગને કારણે 30 લોકો ઘાયલ થયા છે. 


જીવ બચાવવા લોકોએ પાંચમે માળેથી માર્યો ભૂસ્કો 

આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે અનેક કલાકો વિત્યા બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. 8 કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવી શકાયો હતો. પાંચમાં માળે આ આગ લાગી હતી. આગથી બચવા લોકો પાંચમાં માળેથી કૂદી પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટનામાં 10 લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.    



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.