કંબોડિયાની હોટલમાં બની આગની દુર્ઘટના, 10 લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-29 12:57:57

કંબોડિયાની એક હોટલમાં ભીષણ આગ લાગી હતી જેમાં 10 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર 50 જેટલા લોકો આ આગને કારણે હોટલમાં ફસાયેલા હતા. 

कंबोडिया के एक होटल में आग का दृश्य।


10 લોકો આગને કારણે મોતને ભેટ્યા

આગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. કંબોડિયાના પોઈપેટમાં સ્થિત એક હોટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગને કારણે 10 જેટલા લોકોના મોતને ભેટ્યા છે. આગથી બચવા લોકો પાંચમાં માળેથી કુદતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ આગમાં 50 જેટલા લોકો હોટલની અંદર ફસાયેલા છે. આ આગને કારણે 30 લોકો ઘાયલ થયા છે. 


જીવ બચાવવા લોકોએ પાંચમે માળેથી માર્યો ભૂસ્કો 

આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે અનેક કલાકો વિત્યા બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. 8 કલાકની ભારે જહેમત આગ પર કાબુ મેળવી શકાયો હતો. પાંચમાં માળે આ આગ લાગી હતી. આગથી બચવા લોકો પાંચમાં માળેથી કૂદી પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટનામાં 10 લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે